અંજીર સિઝનલ બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. અંજીરના ગુણોને જોતા આરોગ્ય નિષ્ણાતો તેને 'સ્વાસ્થ્યનો ખજાનો' કહે છે.
સિઝનલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે અંજીર
રોગપ્રતિકારક શક્તિમાં થાય છે વધારો
અંજીરને કહેવામાં આવે છે 'સ્વાસ્થ્યનો ખજાનો'
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે શરીર બિમારીઓનું ઘર બની જાય છે. આવી સ્થિતિમાં અંજીર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે તમને સિઝનલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આ સાથે અંજીર તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. અંજીરના ગુણોને જોતા આરોગ્ય નિષ્ણાંતો તેને 'સ્વાસ્થ્યનો ખજાનો' કહે છે.
અંજીર સુપરફૂડની જેમ કામ કરે છે. તેમાં હાજર ફાઇબર તમને પેટની સમસ્યાઓથી રાહત આપે છે અને પેટના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર બતાવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ડ્રાય અંજીરને દૂધમાં ભેળવીને પીવાથી દૂધ વધુ ફાયદાકારક બને છે. ચાલો જાણીએ કે અંજીર આપણા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો કરે છે.
અંજીર ખાવાના ફાયદા
શિયાળામાં શારીરિક મહેનત ઓછી હોવાના કારણે શરીરનું વજન ઝડપથી વધવા લાગે છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે દૂધ સાથે અંજીરનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થશે. આ એક ઓછી કેલરીવાળો ખોરાક છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને તેનું સેવન કર્યા પછી તમને પેટ ભરેલું હોવાનું અનુભવ થાય છે. જેનાથી તમે ઓવર ઈટિંગથી બચી શકો છે.
અંજીરમાં રહેલા પોષક તત્વો (વિટામીન, પોટેશિયમ, મિનરલ્સ, કેલ્શિયમ) શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ સાથે તે તમને શિયાળામાં થતા મોસમી રોગોથી પણ બચાવે છે અને તમને સ્વસ્થ રાખે છે.
જો શરીરમાં કેલ્શિયમ અથવા આયર્નની ઉણપ હોય તો અંજીર તેને દૂર કરવાનું કામ કરે છે. એનિમિયાના દર્દીઓ માટે અંજીર વરદાનથી ઓછું નથી. અંજીરમાં હાજર ફેટી એસિડ્સ અને વિટામિન્સ ડાયાબિટીસના જોખમને ઘટાડવાનું કામ કરે છે. હેવી એક્સરસાઈઝ કરતા લોકો પણ અંજીરનું સેવન કરી શકે છે.