કોરોના મહામારીમાં સૂકી ખાંસી પણ ટેન્શન કરાવે છે. તેનાથી રાહત મેળવવા તમે આ કેટલાક અકસીર ઘરેલૂ નુસખા ટ્રાય કરી શકો છો.
બદલાતી સીઝનમાં સૂકી ખાંસી વધારે છે ટેન્શન
આ ઘરેલૂ અને અકસીર ઉપાયો આપશે રાહત
આજથી જ શરૂ કરો આ ખાસ ઉપાયો
બદલાતી સીઝનમાં જો તમને થોડી પણ ખાંસી રહે છે તો તમારે ખાસ ઉપાયો કરી લેવાની જરૂર છે. કોરોના મહામારીના અનેક લક્ષણોમાં સૂકી ખાંસી પણ એક છે તો આજથી જ આ ઘરેલૂ અને અકસીર ઉપાયોથી મેળવી લો રાહત.
આદુ કરે છે ફાયદો
કહેવાય છે કે આદુથી ખાંસી ઓછી થાય છે અને તેમાં રાહત પણ મળે છે. આ માટે લોકો આદુની ચા પીવાનું પસંદ કરે છે અને સાથે મધની સાથે આદુની ચા પીવામાં આવે તે વધારે ફાયદો કરે છે. ધ્યાન રાખો કે વધારે ચાથી પેટ ખરાબ થઈ શકે છે.
મધ કરે છે ફાયદો
ખાંસી રહેતી હોય તો મધ એ રામબાણ ઉપાય છે. તેના એન્ટી ઓક્સીડન્ટ તત્વ ખાસીમાં લડવામાં મદદ કરે છે. આ સિવાય ગળાની ખારાશને પણ ઘટાડે છે. આ માટે હર્બલ ટી કે લીંબુ પાણીને મધમાં મિક્સ કરીને દિવસમાં 2 વાર પીવાથી લાભ મળે છે.
પિપરમેન્ટ કરે છે ફાયદો
સૂકી ખાંસી હોય તો પિપરમેન્ટ પણ ફાયદો કરે છે, તેમાં મેન્થોલ કમ્પાઉન્ડ છે જે ગળાને રાહત આપે છે. સાથે ગળાની બળતરા અને દર્દને ઘટાડે છે. દિવસમાં 2-3 વાર પિપરમેન્ટનું સેવન કરવાથી ખાંસીની સમસ્યા દૂર થવા લાગે છે.
મીઠાના પાણીથી કરો કોગળા
સૂકી ખાંસીનો ઈલાજ છે ગરમ પાણીમાં મીઠું ઓગાળીને તેનાથી કોગળા કરવા. તેનાથી ગળાની ખંજવાળ દૂર થાય છે. સાથે લંગ્સમાં જમા કફ પણ ઘટે છે.મીઠાના પાણીના કોગળા કરવાથી ગળામાં ટોન્સિલમાં પણ આરામ મળે છે.
નીલગીરીનું તેલ પણ કરે છે ફાયદો
મળતી માહિતી અનુસાર નીલગીરીનું તેલ શ્વાસની નળી સાફ કરે છે. નારિયેળ કે જૈતૂનના તેલમાં નિલગીરીના ટીપાં મિક્સ કરો અને છાતી પર માલિશ કરો. આ સિવાય તે સ્ટીમ લેવા ઈચ્છો છો તો તમે એક ગરમ પાણીની વાટકીમાં નીલગીરીના તેલના ટીપાં મિક્સ કરો અને નાસ લો. તેનાથી છાતીમાં હળવાશ લાગશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે.