પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. હોબાળો એટલો વધારે થઈ ગયો હતો કે નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે મારામારી થઈ ગઈ હતી.
પંજાબ વિધાનસભામાં મારામારી
નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે મારામારી
વિપક્ષો ડરી ગયા હોવાનો સિદ્ધુનો આરોપ
પંજાબ વિધાનસભામાં મારામારી
પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. હોબાળો એટલો વધારે થઈ ગયો હતો કે નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. દલીલો થવાની જગ્યાએ મારામારી થવા લાગતાં પંજાબ વિધાનસભાની ગરિમા પર સવાલ ઊભો થયો હતો.
દરેક મુદ્દે રાજનીતી દુર્ભાગ્યપૂર્ણ બાબત
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ અકાલી દળ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શિરોમણી અકાલી દળ દરેક મુદ્દે રાજનીતી કરે છે જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.
15 મી વિધાનસભાના 16 માં સેશન દરમિયાન આ ઘટના બની હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ચન્નીએ આરોપ લગાવ્યો હતો કે અકાલી દળના કારણે પંજાબમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દરવાજા ખૂલી ગયા હતા. અને સંઘ હંમેશા પંજાબના હિત વિરુદ્ધના કર્યો કરવા માટે જાણીતું છે.
આ અગાઉ બુદ્ધવારે અકાલી દળ અને ખેડૂતો વચ્ચે પણ મામલો ગરમાયો હતો. આ ઝઘડાની તુલના સયુંકત કિસાન મોરચા દ્વારા લખીમપુર ખીરી હિંસા સાથે કરવામાં આવી હતી અને ફિરોઝપુરમાં થયેલી આ માથાકૂટના કારણે હજુ તણાવની સ્થિતિ યથાવત છે.
સિદ્ધુએ શું કહ્યું
પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ આ મુદ્દે કહ્યું હતું કે પંજાબ વિધાનસભામાં આજનો હંગામો જાણી જોઈને કરવામાં આવ્યો હતો કારણ કે વિપક્ષો ડરી ગયા છે. ચન્ની સરકાર, પંજાબ કોંગ્રેસ લોકો માટે કામ કરી રહી છે. જે પણ જાહેરાત કરવામાં આવી છે તે માત્ર 2-3 મહિના નહીં પણ આગામી 5 વર્ષ માટેનું વિઝન છે.
Today's ruckus in Punjab Assembly was deliberate as Opposition is scared. The Channi govt, Punjab Congress are working for the people...Whatever announcement has been made is a vision for the next 5 years, not just 2-3 months: Punjab Congress chief Navjot Singh Sidhu pic.twitter.com/kgDWsjHGhW