ગાંધીનગરમાં તાલુકા પંચાયતના મતગણતરી સેન્ટર પાસે મારામારીની ઘટના સામે આવી છે.કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરને માર માર્યો છે.મહત્વનુ છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે કોંગ્રેસના કાર્યકરે દાદાગીરી કરી છે.આ ઘટના બાદ સુરક્ષા પર સવાલો ઉઠયા છે.તંત્ર દ્વારા મતગણતરી દરમિયાન ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.બંદોબસ્ત દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા દાદાગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથી 5 જિલ્લા પંચાતના પાંચ મતદાર મંડળો અને 25 તાલુકાઓના 28 મતદાર મંડળો પર પેટા ચૂંટણી માટે 21 ફેબ્રુઆરી મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં પણ EVM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની મતગણતરી આજે યોજવામાં આવી હતી.