દુનિયાના હેલ્થ એક્સપર્ટ્સ માની રહ્યાં છે કે કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપને કારણે દુનિયામાં કેમલ ફ્લુ ફેલાઈ શકે છે.
કતારમાં ચાલી રહ્યો છે ફિફા વર્લ્ડ કપ
ફિફા વર્લ્ડ કપને કારણે કેમલ ફ્લૂ ફેલાવવાનો ખતરો
12 લાખ લોકો ફૂટબોલ વર્લ્ડ કપ જોવા ભેગા થયા છે
ફૂટબોલ પ્રેમીઓની ફેવરિટ ટુર્નામેન્ટ ફિફા વર્લ્ડ કપ 2022 તેની ચરમસીમાએ છે. આ ટૂર્નામેન્ટ 20 નવેમ્બરથી મધ્ય પૂર્વના દેશ કતારમાં ચાલી રહી છે. દરમિયાન, એક અહેવાલમાં કતારમાં ઊંટ ફ્લૂ અથવા રેસ્પિરેટરી સિન્ડ્રોમ એમઇઆરએસ રોગના ફેલાવાનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે. 22 નવેમ્બરના રોજ ન્યૂ માઇક્રોબ્સ એન્ડ ન્યૂ ઇન્ફેક્શન જર્નલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં સ્પષ્ટ પણે કહેવાયું કે કતારમાં ઊંટ ફ્લૂ ફેલાવાનું જોખમ છે. WHOએ ઊંટના ફ્લૂને અંગે ચિંતા વ્યક્ત કરી છે અને એક એડવાઈઝરી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટ જોવા આવતા લોકોએ ઊંટને અડવું નહીં અને તેમની નજીક પણ ન જવું જોઈએ.
કોરોના મહામારી જેવું સ્વરુપ ધારણ કરી શકે કેમલ ફ્લૂ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં ઉંટ ફ્લૂ અથવા રેસ્પિરેટરી સિન્ડ્રોમ એમઇઆરએસ નામનો જીવલેણ રોગ ફેલાઇ શકે છે. આ સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ફ્લૂ કતારથી આખી દુનિયાને ઘેરી શકે છે. આવી સ્થિતિમાં, એવી દહેશત છે કે જો કતારમાં ઉંટનો ફ્લૂ વધે તો શું તે કોરોના જેવી મહામારીનું સ્વરૂપ ધારણ કરશે.
શું છે કેમલ ફ્લૂ
ઊંટ ફ્લૂ એક પ્રકારનો વાયરસ છે જે ઊંટથી લઈને મનુષ્ય સુધી નક્કી કરવામાં આવે છે કારણ કે ખાડી દેશોમાં ઊંટનો ઉપયોગ ઘણો થાય છે. એટલા માટે આ દેશોમાંથી ઊંટફ્લૂ ફેલાવાનું જોખમ ઘણું વધારે છે. સાઉદી અરબમાં 2012માં ઊંટ ફ્લૂનો કેસ પહેલો કેસ સામે આવ્યો હતો. જે બાદ અરબસ્તાનના અલગ અલગ દેશોમાં તેના કેસ વધવા લાગ્યા હતા. રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં 27 દેશોમાં ઊંટ ફ્લૂના કેસ સામે આવ્યા છે અને તેના કારણે 858 લોકોના મોત થયા છે. આ સાથે જ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ ફ્લૂ કતારમાં પણ ફેલાઇ રહ્યો છે. આમાંના મોટાભાગના કિસ્સાઓ ઊંટના સંપર્કમાં આવવાના કારણે થયા છે, જેનું મુખ્ય કારણ ઊંટનું દૂધ અને તેનું માંસ ખાવાથી થાય છે.
શું છે ઊંટ ફ્લુના લક્ષણો
ન્યૂ માઇક્રોબ્સ એન્ડ ન્યૂ ઇન્ફેક્શન રિપોર્ટમાં ઊંટ ફ્લુના લક્ષણો પણ સામે જણાવાયા છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ, તાવ, ખાંસી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે વૃદ્ધો, કિડનીના દર્દીઓ, કેન્સરના દર્દીઓ, ડાયાબિટીસના દર્દીઓને આ રોગનું જોખમ વધુ હોઈ શકે છે.