કચ્છઃ ગાંધીધામના મીઠીરોહણ નજીક આગ લાગવાની ઘટનાએ અફરાતફરી સર્જી હતી. મીઠી રોહણ નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સંઘવી ગોડાઉન નંબર 3માં લાગેલી આગને કારણે ઘણું નુકસાન થયું હતું. આ ભીષણ આગને કારણે રાજ્યસરકાર દ્વારા સંગ્રહ કરેલ મગફળીનો મોટો જથ્થો આગમાં ખાખ થઈ ગયો હતો.
આ લાગતા આશરે રૂ. 10 કરોડના નુકશાનની આશંકા સેવાઈ રહી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 20 જેટલી ગાડીઓએ આગ ઓલવવાની જહેમત હાથ ધરી હતી.