Federation of Indian Chambers of Commerce & Industry (ફિક્કી) દ્વારા સરકારને પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે સામાન્ય માણસની 5 લાખ સુધીની આવક ઉપર ટેક્સની છૂટ આપવામાં આવે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020-2021 માટે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ જાહેર કરી શકે છે. આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ જાહેર થઇ શકે છે.
કેમ આ પ્રસ્તાવ મુકાયો?
ફિક્કીએ પોતાના અભ્યાસમાં જણાવ્યું કે હાલના ઇકોનોમિક સ્લોડાઉનમાં વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ઘટાડવામાં આવે તો મધ્યમ વર્ગના માણસ પાસે ખર્ચ કરવા વધુ રકમની બચત થશે. આ રકમના વપરાશથી બજારમાં ઉત્પાદનો અને સેવાઓની માંગમાં વધારો નોંધાશે.
નોંધનીય છે કે દેશનો GDP વૃદ્ધિ દર અને ઔદ્યોગિક ઉત્પાદન બંને સતત ઘટી રહ્યા છે.
ફિક્કીના પ્રસ્તાવ પ્રમાણેના ટેક્સ સ્લેબ આ મુજબ છે
વાર્ષિક આવક
ટેક્સના દર
5 લાખ સુધીની વાર્ષિક આવક
0%
5 થી 10 લાખ સુધીની વાર્ષિક આવક
10%
10 થી 20 લાખ સુધીની વાર્ષિક આવક
20%
20 લાખથી વધુ વાર્ષિક આવક
30%
હાલના ટેક્સ સ્લેબ આ મુજબ છે
વાર્ષિક આવક
ટેક્સના દર
0-2.5 લાખ સુધીની વાર્ષિક આવક
0%
2.5 થી 5 લાખ સુધીની વાર્ષિક આવક
10%
5 થી 10 લાખ સુધીની વાર્ષિક આવક
20%
10 લાખથી વધુ વાર્ષિક આવક
30%
ભારતમાં ટેક્સ પ્રણાલી સરળ કરવાની જરૂર
ફિક્કીના મતે મોટાભાગના દેશોમાં ટેક્સ પ્રણાલી સરળ છે. જાપાનમાં આશરે 13 લાખ રૂપિયાની આવક સુધી 5% ટેક્સ લાગે છે. બ્રિટનમાં 30 લાખ સુધીની આવક ઉપર 20% ટેક્સ અને 10 લાખ રૂપિયા જેટલું વ્યક્તિગત ભથ્થું મળે છે.
ભારતે ટેક્સ સ્લેબ સરળ કરીને આંતરરાષ્ટ્રીય માપદંડોને સમકક્ષ કરવાની જરૂર છે.