કોરોનાને કારણે વધુ એક સમસ્યા સામે આવી છે. તેનું નામ છે ન્યુમોથોરેક્સ. આ બીમારી એટલે ફેફસામાં કાણું પડવું. આ કારણે ભારતના વૈજ્ઞાનિક અને ડોક્ટર બંન્ને પરેશાન છે કારણે હજી સુધી આ સમસ્યાનો કોઇ ખાસ ઉકેલ આવી શક્યો નથી.
કોરોનાથી વધુ એક સમસ્યા
ફેફસા થઈ રહ્યા છે કમજોર
ગુજરાતમાં ન્યૂમોથોરેક્સથી પીડિત દર્દીના કેસ આવ્યા છે સામે
કોરોના વાયરસને કારણે ફેફસામાં ફાઇબ્રોસિસ થાય છે. એટલે કે, હવાની જગ્યામાં મ્યુકસની જાળ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે ફાઇબ્રોસિસની સંખ્યા વધે છે, ન્યુમોથોરેક્સનો અર્થ એ છે કે ફેફસામાં છિદ્રની સમસ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, તાજેતરમાં ગુજરાતમાં ન્યુમોથોરેક્સથી પીડિત દર્દીઓના કેટલાક કિસ્સા સામે આવ્યા છે.
ગુજરાતમાં સામે આવ્યા કેસ
આ લોકો 3-4 મહિના પહેલા કોરોનાથી સાજા થયા હતા. પરંતુ ફાઇબ્રોસિસ તેમના ફેફસામાં રહે છે. છાતીમાં તીવ્ર દુખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે આ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં તેની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે જ્યારે કોરોનાને લીધે ફાઈબ્રોસિસ ફાટી નીકળે છે, ત્યારે ફેફસામાં ન્યુમોથોરેક્સ શરૂ થાય છે.
શું થાય છે સમસ્યા
ન્યુમોથોરેક્સમાં, ફેફસાંની બાહ્ય દિવાલો અને આંતરિક સ્તરો એટલા નબળા થઈ જાય છે કે તેઓ ઉપચારની ક્ષમતા ઘટાડે છે. આ કિસ્સામાં, ફેફસામાં છિદ્ર હોવું સરળ બને છે. ન્યુમોથોરેક્સ દર્દીઓમાં છાતીમાં તીવ્ર દુખાવો, જડતા, શ્વાસ લેવામાં તકલીફ, હ્રદયના ધબકારામાં વધારો અને અપચો છે.
કોરોનાને કારણે ફેફસામાં થયેલા ફાઇબ્રોસિસમાં ન્યુમોથોરેક્સ થઇ રહ્યા છે. ફાઇબ્રોસિસના કારણે ફેફસા પર આવતા લેયર પાતળા અને નબળા પડી જાય છે. ઇલાજ અને હીલિંગ દરમિયાન આ લેયર ફાટી જાય છે જેને લઇને આ સમસ્યા દર્દીમાં જોવા મળી રહી છે.
વધુ પ્રેશરથી જેને ઓક્સિજન આપવામાં આવે તેને થાય છે આ સમસ્યા
કેટલાક ડોક્ટરોનું માનવું છે કે, ફેફસાને કવર કરનાર 2 લેયર વચ્ચે ઘણીવાર હવા ભરાઇ જાય છે અથવા ઇન્જર્ડ થઇ જાય તો તેને ન્યૂમોથોરેક્સ કહે છે. કોરોનાના જે દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમને વધુ પ્રેશરથી ઓક્સિજન આપવામાં આવતો હોય જેના કારણ થાય છે આ સમસ્યા.
ગઇકાલે નોંધાયા હતા 850 નવા કેસ
ગત 24 કલાક દરમિયાન કોરોનાના 850 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,14,945 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.91 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 94,37,105 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. જોકે આજે 17 જિલ્લાઓમાં 10થી ઓછા કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 920 સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,27,128 દર્દીઓ સાજા થયાં છે. આજે કોવિડ-19થી 7 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4282 થઇ ગઇ છે. તો હાલ 10,435 એક્ટિવ કેસ છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે.