અમદાવાદમાં વર્ષ 2008માં સાંજના સમયે 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતું, જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
26 જુલાઈ 2008ના સિરિયલ બ્લાસ્ટની વરસી
ક્યારેય નહિં ભૂલાય આ ગોજારો દિવસ
અમદાવાદમાં 70 મિનીટમાં જ 21 બોમ્બ બ્લાસ્ટ
26 જુલાઈ કદાચ જ કોઈ ગુજરાતી આજનો દિવસ ભૂલી શકે. આજે આતંકીઓએ અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ કરીને શહેરને હચમચાવી દીધું હતું. અનેક લોકો એવા છે કે એ દિવસને યાદ કરે તો આજે પણ તેમને કંપારી છૂટી જાય છે. ત્યારે બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ થયેલાના ઘા તો રૂઝાયા છે પરંતુ સ્વજનને ગુમાવ્યા હોવાનું દુખ કાયમી રહેશે. સાંજના સમયે અલગ-અલગ વિસ્તારમાં 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતું. જેમાં 56 લોકોના મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આજે આ ઘટનાને 1૩ વર્ષ બાદ પણ લોકો ભૂલી શક્યા નથી.
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના દિવસે બ્લાસ્ટ થયા અને અનેકના મોત થયા હતા. તો ઘણા ગંભીર રીતે ઘાયલ થયાએ ઘટનામાં જે લોકો ભોગ બન્યા તેના પીડિત આજે પણ એ ઘટના યાદ કરે તો કંપારી છૂટી જાય છે. એમાંના જ એક પરિવાર જે અસારવામાં રહે છે. આ વ્યાસ પરિવારે એક સાથે જ પરિવારના બાપ બેટા બંનેને ગુમાવી દીધા છે. પિતા સિવિલમાં નોકરી કરતા હતા ત્યારે બ્લાસ્ટની ઘટના બનતા સેવા કરવા જાય તે પહેલા જ બંને પુત્રો સાથે બ્લાસ્ટમાં ગભીર રીતે ઘાયલ થયા હતા તેમનો એક દીકરો જીવિત છે. પરતું આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે યશ વ્યાસને કાનમાં સાંભળવાની તકલીફ આજ સુધી પડી ગઇ છે. તેમજ શરીરમાં ગંભીર ઈજાઓના નિશાન પણ છે.
સિવિલ હોસ્પિટલમાં પણ બે બ્લાસ્ટના લીધે 39 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જેમાં સેવા કરવા ગયેલા અનેક લોકોએ પણ જીવ ગુમવ્યા હતા જેમના પ્રત્યક્ષ દર્શી એવા અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ એ ગોઝારો દિવસ યાદ કરી રહ્યાં છે. આ વાત સંભાળીને તરત જ એ સમયના અસારવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા અને કેટલાક કાર્યકર્તાઓ ઘાયલોની મદદ માટે સિવિલ પહોચ્યા હતાં. પરંતુ સિવિલમાં પણ તરંત જ બ્લાસ્ટ થયા હતાં. જેમાં તેમના પગને કાપવો પડ્યો ન હતો પરંતુ ગંભીર ઈજા પહોંચી હતી.
13માં વર્ષે પણ અમદવાદની ખાસ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે, જેમાં અંતિમ તબ્બકાની સુનાવણીમાં આ ચુકાદો વહોલો આવે તેવી આશા પીડિત પરિવાર રાખી રહ્યું છે. આજે વર્ષો વીતી ચુક્યા છે, જેમાં ઘા તો જરૂર રૂઝાયા છે પણ એ દિવસ યાદ આવતા જ ધૃજાવી દે તેવા દ્રશ્યો પણ સામે આવી જાય છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માને શાંતિ મળે તેવી શ્રદ્ધાંજલિ VTV પણ આપી રહ્યું છે.