અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓની પ્રથમ બેઠકમાં સંબોધન કરતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ દેશમાં ન્યાયપાલિકાની હાલત પર વાત કહી હતી.
જિલ્લા કાનૂની સેવાની પ્રથમ બેઠકમાં ચીફ જસ્ટિસનું સંબોધન
પીએમ મોદી પણ આ બેઠકમાં જોડાયા હતા
ચીફ જસ્ટિસે દેશમાં ન્યાયની વાત કહી હતી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાએ ન્યાય સુધીની પહોંચને સામાજિક ઉદ્ધારનું ઉપકરણ ગણાવતા શનિવારે કહ્યું કે, જનસંખ્યાનો ખૂબ ઓછો ભાગ કોર્ટમાં પહોંચી શકે છે. મોટા ભાગના લોકો જાગૃતિ અને જરૂરી માધ્યમોના અભાવમાં મૌન રહીને પીડા સહન કરતા રહે છે. ન્યાયમૂર્તિ રમણાએ અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓની પ્રથમ બેઠકમાં કહ્યું કે લોકોને સક્ષમ બનાવવામાં ટેકનોલોજીની મોટી ભૂમિકા છે. તેમણે ન્યાયપાલિકાથી ન્યાય આપવાની ગતિ વધારવા માટે ટેકનોલોજીના સાધનો અપનાવવાનો આગ્રહ રાખ્યો છે.
અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તાધિકારીઓની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ન્યાયપાલિકા પાસેથી આગ્રહ કર્યો છે કે, તે અલગ અલગ ગુનામાં બંધ અને કાયદાકીય મદદની રાહ જોઈ રહેલા વિચારાધીન કેદીઓને છૂટા કરવાની પ્રક્રિયામાં ગતિ લાવે.
Access to justice is tool of social emancipation, says CJI Ramana
ન્યાયમૂર્તિ રમણે કહ્યું કે, ન્યાય-સામાજિક, આર્થિક અને રાજકીય, ન્યાયની આ વિચારનો વાયદો આપણા સંવિધાનની પ્રસ્તાવના પ્રત્યેક ભારતીય કરે છે. હકીકત એ છે કે, આજે આપણી વસ્તીનો એક નાનો એવો ભાગ જ ન્યાય આપનારી સિસ્ટમથી જરૂર પડવા પર સંપર્ક કરે છે. જાગૃતિ અને જરૂરી સાધનોનો અભાવના કારણે મોટા ભાગના લોકો મૌન રહીને પીડા સહન કરે છે.
District judicial officers are the first point of contact for the majority of the population. Public opinion of the judiciary is based on experience with the district judiciary. Strengthening district judiciary is the need of the hour: CJI NV Ramana pic.twitter.com/O2qE0wpfJb
તેમણે વધુમાં કહ્યું કે, આધુનિક ભારતનું નિર્માણ સમાજમા અસમાનતાઓને દૂર કરવાના લક્ષ્ય સાથે કરવામાં આવ્યું હતું. લોકતંત્રનો અર્થ તમામની ભાગીદારી સાથે સ્થાન આપવાનું છે. સામાજિક ઉદ્ધાર વિના આ ભાગીદારી શક્ય નથી. ન્યાય સુધી પહોંચ સામાજિક ઉદ્ધારનું એક સાધન છે.
Strengthening District Judiciary is need of the hour: CJI Ramana
વિચારાધીન કેદીઓને કાયદાકાયી સહાયતા આપવા અને તેમને છૂટા કરવા માટે પ્રધાનમંત્રીની માફક તેમણે પણ કહ્યું કે, જે પાસા પર દેશમાં કાયદાકીય સેવા અધિકારીઓના હસ્તક્ષેપ અને સક્રિય રીતે વિચાર કરવાની જરૂર છે. તેમાંથી એક પાસુ વિચારાધીન કેદીઓની સ્થિતિ છે.
The majority cannot pursue justice delivery mechanisms. Access to justice is a tool for social emancipation. If today we have been able to reach the doorstep of people with justice, we have to thank the able judges, spirited advocates, and the governments: CJI NV Ramana pic.twitter.com/gLDCl6PMQi
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી અને અટોર્ની જનરલે મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોના હાલમાં આયોજીત સંમેલનમાં પણ આ મુદ્દાને લઈને યોગ્ય કર્યું. મને એ જાણીને ખુશી થઈ રહી છે કે, નાલસા વિચારીધન કેદીઓની અત્યાવશ્યક રાહત આપવા માટે તમામ હિતધારકો સાથે સક્રિય રીતે સહયોગ કરી રહયું છે.
ન્યાયમૂર્તિ રમણાએ કહ્યું કે, ભારત દુનિયાની બીજા નંબરની સૌથી મોટી વસ્તીવાળો દેશ છે. જેની સરેરાશ ઉંમર 29 વર્ષ છે અને તેની પાસ વિશાળ કાર્યબળ છે. પણ કુલ કાર્યબળમાંથી ત્રણ ટકા કર્મચારી જ કાર્યક્ષમ હોવાનું અનુમાન છે.