ઑટો સેક્ટર માટે આ ફેસ્ટિવલ સિઝન સારી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી સતત ઑટો સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું હતું. પરંતુ નવરાત્રીથી લઇને ધનતેરસ સુધી ગાડીઓના વેંચાણમાં સતત તેજી જોવા મળી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઑટો સેક્ટરમાં જે તેજી આવી છે એ આગળ પણ યથાવત રહેશે.
છેલ્લા ઘણા મહિનાથી સતત ઑટો સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું હતું
વરાત્રીથી લઇને ધનતેરસ સુધી ગાડીઓના વેંચાણમાં સતત તેજી જોવા મળી છે
મારૂતિ સુઝુકીની કારોના વેંચાણમાં આશરે 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો
વાસ્તવમાં છેલ્લા છ મહિનાથી સતત ગાડીઓના વેંચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સરકાર તરફથી સ્થિતિને સારી કરવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ એની કોઇ અસર થઇ નહીં, પરંતુ આ ફેસ્ટિવલ સિઝન ઑટો સેક્ટર માટે ખુશી લઇને આવ્યું છે.
મંદીના દરથી વાહનોના વેંચાણમાં બમણો ઘટાડો દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે નવરાત્રી અને ધનતેરસ પર આ વખતે એક અનુમાન પ્રમાણે 5 થી 7 ટકા વાહનોનું વેંચાણ વધ્યું છે.
આંકડા પ્રમાણે નવરાત્રીના તહેવાર પર મારૂતિ સુઝુકીની કારોના વેંચાણમાં આશરે 7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. જ્યારે હુંડઇની ગાડીઓનું વેંચાણ આશરે 10 ટકા સુધી વધી હતી. ઑટોમોબાઇલ્સ, કંપનીઓ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નવરાત્રી પર ગાડીઓના વેંચાણમાં વધારો થયો.
આ ફેસ્ટિવલ સિઝન દરમિયાન મારૂતિ સુઝુકી અને હુંડઇની ગાડીઓ સૌથી વધારે વેચાઇ છે. એવી જ રીતે બંને ઑટો કંપનીઓનો ટોટલ માર્કેટ શેર આશરે 65-70 ટકાની વચ્ચે છે. ધનતેરસના તહેવાર પર દેશની ત્રીજી સૌથી મોટી ઑટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પણ ગાડીઓના વેંચાણમાં સુધારો જોવા મળ્યો છે.
નોંધનીય છે કે આ પહેલા ઑટો સેક્ટર માટે સપ્ટેમ્બરનો મહિનો પણ વેંચાણની દ્રષ્ટિએ નેગેટિવ રહ્યો હતો. સપ્ટેમ્બરમાં Maruti Suzuki નું વેંચાણ વર્ષના આધાર પર 24.4 ટકા ઘટીને 1.22 લાખ યૂનિટ રહ્યું હતું.
જણાવી દઇએ આ પહેલા સપ્ટેમ્બરમાં Maruti Suzukiનું વેંચાણ વર્ષના આધાર પર 24.4 ટકાથી ઘટીને 1.22 લાખ યૂનિટ રહ્યું હતું. સપ્ટેમ્બર 2018માં કંપનીનું કુલ વેંચાણ 1.62 લાખ યૂનિય રહ્યું હતું. તો ગત વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ 8740 યૂનિટ એક્સપોર્ટ કર્યા હતા. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં આ ગ્રાફ ઘટીને 7188 યૂનિટ પર આવી ગયો.
આટલું જ નહીં મંદીના પ્રવાસમાં વેંચાણ ખૂબ ઘટી જવાથી દેશની નંબર વન ઑટો કંપની મારૂતિ સુઝુકીના સપ્ટેમ્બર ત્રિમાસીકના નફામાં 39 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ કંપનીએ એક નિવેદનમાં કહ્યું, 'ઑટો ઇન્ડસ્ટ્રીની વેંચાણમાં ઘટાડાનું કારણ ઘણું છે, એનુ એખ મુખ્ય કારણ છે સુરક્ષા અને બીએસ 6 જેવા ઉત્સર્જન માનકના પાલન, વાહન વીમો ખર્ચ વધવો, ઑટો લોન ઓછી મળવી વગેરેથી કાર રાખવી મોંઘી થઇ ગઇ છે.'
પરંતુ હવે ફેસ્ટિવ સિઝન દરમિયાન હાલ ઑટો કંપનીઓ તમામ પ્રકારની ઑફર આપી રહી છે, કેશ ડિસ્કાઉન્ટની સાથે સાથે મારૂતિ-હુંડઇ જેવી મોટી કંપનીઓ એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. જેનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે, લોકો ફેસ્ટિવલ સિઝનમાં જોરજાર કાર ખરીદી રહ્યા છે.