મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ ભક્તિભાવથી કરવામાં આવેલી પ્રાર્થના અવશ્ય સ્વીકાર થાય છે. આ દિવસે શિવ ભક્ત આખો દિવસ વ્રત રાખવાની સાથે જળાભિષેક કરે છે. આવો જાણીએ મહાશિવરાત્રિ 2023ની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ.
આ વર્ષે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ
જાણો મહાશિવરાત્રિ 2023ની તિથિ અને શુભ મુહૂર્ત
ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી મનોકામના થાય છે પૂર્ણ
ભગવાન શિવની પૂજા કરવાથી મળે છે વિશેષ ફળ
દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રિનુ વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનુ વધુ મહત્વ હોય છે. આ દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ રાખવાની સાથે શિવલિંગનો અભિષેક કરે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવનો વિવાહ થયો હતો. એવામાં આવો જાણીએ મહાશિવરાત્રિ 2023ની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ.
ક્યારે છે મહાશિવરાત્રિ 2023?
પંચાગ મુજબ, આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ શનિવારે મનાવવામાં આવશે.
મહાશિવરાત્રિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. પછી સ્વચ્છ કપડા પહેરીને ભગવાનની સામે હાથ જોડીને મહાશિવરાત્રિ વ્રતનો સંકલ્પ લો. શિવલિંગમાં ચંદનનો લેપ લગાવીને પંચામૃતથી સ્નાન કરાવવુ જોઈએ. ત્યારબાદ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. બિલિપત્ર, ફૂલ, દીપ અને અક્ષતથી ભગવાન શિવની પૂજા કરો. ફળ અને મિઠાઈનો ભોગ ધરાવો. આ સાથે શિવ પૂજા બાદ છાણાની અગ્નિ પ્રગટાવીને તલ, ચોખા અને ઘીની મિશ્રિત આહુતિ આપવી જોઈએ. આ રીતે હોમ કર્યા બાદ એક આખા ફળની આહુતિ આપો. સામાન્ય રીતે લોકો સુકા નારિયેળની આહુતિ આપે છે. ભક્ત આ વ્રત કરીને, બ્રાહ્મણોને ભોજન કરાવીને અને દીપદાન કરીને સ્વર્ગને પ્રાપ્ત કરી શકે છે.