રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેતા ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માર્કેટ યાર્ડ 6 દિવસ અને શાક માર્કેટ 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
હાલમાં માગ વધુ હોવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે હવે યાર્ડ બંધ રહેતા રાજકોટવાસીઓને લીલા શાકભાજી નહી મળે અને ક્યાંક મળશે તો પણ માગ વધુ હોવાના કારણે ડબલ મોંધા ભાવે મળશે.
તહેવારની સીઝન હોવાના કારણે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 22થી 27 ઓગસ્ટ સુધી 6 દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે શાક માર્કેટ 4 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટમાં તહેવારોના સમયે માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. ત્યારે તહેવાર સમયે મંદી જોવા મળતા ઔદ્યોગિક એકમોએ મોટો નિર્ણય લીધો છે. સાતમ-આઠમના તહેવારમાં GIDCના ઔદ્યોગિક એકમો 8 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે, બુધવારથી બુધવાર સુધી 8 દિવસ ઔદ્યોગિક એકમો બંધ રખાશે.