રાજ્યની ગૃહણીઓ માટે ખુશીના સમાચાર છે. આગામી સમયમાં તહેવારોને લઇને ગૃહણીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ સિંગતેલમાં ભાવ વધારા બાદ ઘટાડો થતાં રાહતના સમાચાર મળી રહ્યાં છે.
રાજ્યમાં સિંગતેલના ભાવમાં સતત બીજા દિવસે રૂપિયા 20નો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં રૂ.100ના વધારા બાદ સતત બે દિવસ 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ગતરોજ પણ સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો.
જેને લઇ ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ રૂ.1840થી 1850 થયા છે. રાજકોટમાં ચોમાસાનો પ્રારંભ થતાંની સાથે જ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આમ ગૃહણીઓને તેલના ભાવમાં ઘટાડા છેલ્લા બે દિવસમાં સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે..માંગ યથાવત ન રહેતા ભાવમાં ઘટાડો આવ્યો છે.તો 20 દિવસોમાં સિંગતેલમાં રૂપિયા 100નો વધારો કરવામાં આવ્યો હતો.