બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરના ભાવવધારાનો વિરોધ. સંઘાણીએ કહ્યું કે,ભાવ વધારો થશે તો સામે સબસિડી વધારાશે,અને ખાતરમાં ભાવ વધશે તો ખેડૂતો પર વધારાની કોઇ અસર નહી થાય.
રાસાયણિક ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો આગ બબૂલા
ઈફકોના વાઈસ ચેરમેન સંઘાણીએ કર્યો મલમ લગાવા પ્રયત્ન
દિલીપ સંઘાણીના નિવેદન પછી કોંગ્રેસના વસોયા વિફર્યા
રાજ્યમાં ખાતરનાં ભાવ અંગે અસમંજસ જેવી સ્થિતિ વચ્ચે ભાવ વધારાથી ખેડૂતોની કમર તૂટી રહી છે .આ વચ્ચે બનાસ કાંઠાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોને હૈયા ધારણ પણ અપાઈ છે. ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.આ ભાવવધારાના કારણે બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરના ભાવવધારાનો વિરોધ કર્યો છે.ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માગ કરી છે.સાથે જ ખાતર અને ડીઝલમાં સબસિડી આપવા માગ કરી છે.આ ઉપરાંત ડીઝલ અને ખાતરના ભાવને લઈને ખેડૂતોએ સરકારને ચીમકી પણ આપી છે.
ઇફકોના વાઈસ ચેરમેન સંઘાણીની સ્પષ્ટતા
ગુજરાતમાં વિવિધ મંડળીઓએ ખાતરમાં ભાવ વધારાની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે.અને કંપની દ્વારા ખાતરમાં ભાવ વધારો જાહેર કરાયાનો દાવો કરવામાં આવતા જ IFFCOના વાઇસ ચેરમન દિલીપ સંઘાણીએ ખાતરમાં ભાવ વધારાની વાત અંગે કરી સ્પષ્ટતા કરી છે. સંઘાણીએ કહ્યું કે,ભાવ વધારો થશે તો સામે સબસિડી વધારાશે,ઉપરાંત જો ખાતરમાં ભાવ વધશે તો ખેડૂતો પર વધારાની કોઇ અસર નહી થાય. બીજી તરફ મંડળી સંચાલક ખેડૂતોને નવો સ્ટોક નવા ભાવે આપવાની વાત કરી છે.જો કે IFFCOના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીને ભાવ વધારાની વાતને નકારીકાઢતા કહ્યું છે કે, ભાવ વધારાની વાત ક્યાંથી વહેતી થઈ તેની તપાસ કરવામાં આવશે.
નિવેદનથી કોંગ્રેસ ખેડૂતોની વહારે આવી
IFFCOના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યા બાદ , તુરંત જ બીજી તરફ કોંગ્રેસ પણ મેદાને આવી ગઈ છે .કોંગ્રેસ દ્વારા સરકારની નીતિ-રીતિની ઝાટકણી કાઢતા, સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતો ઉપર ખાતરના ભાવ વધારી બોજો વધારી રહી છે.સરકાર ખાતરમાં ભાવ વધારો કરી પાછળથી સબસિડી જાહેર કરી બેલેન્સ કરે છે.વસોયાએ કહ્યું કે, સરકારે ચૂંટણી સમયે ભાવ વધારો સ્થગિત કર્યો હતો. અને ચૂંટણી બાદ ફરીથી ભાવ વધારો કર્યો. ખાતરના ભાવમાં સરકારે તોતિંગ વધારો ઝીંકી ,સરકારે ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. ખેડૂતોની આવક બમણી કરવાની જગ્યાએ ખેત ઉત્પાદનના સાધનોના ભાવ બમણા કરી પોતાની ખેડૂતો વિરોધી નીતિને સ્પષ્ટ કરી છે.