વાયુ વાવાઝોડાના કારણે બેટ દ્વારકામાં વસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એલર્ટના કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. તો લોકો પાસે જીવન જરૂરિયાતની સાધન સામગ્રી ઘટી ગઈ છે. જેના કારણે દ્વારકાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે. તો માલસામાન પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..જ્યારે લોકો ઓખા જેટીએ બેસીને બોટની રાહ જોઈએ રહ્યા છે.