ભારતના સૌથી જૂના સ્ટેડિયમમાંથી એક દિલ્હીના ઐતિહાસિક- ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે.
ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનુ નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ
DDCA એ અરૂણ જેટલીને આપ્યુ સન્માન
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ
દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે 12 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમમાં એક કાર્યક્રમ આયોજિત કરીને પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નામ પર રાખ્યુ. આ સાથે જ કાર્યક્રમમાં વિરાટ કોહલીના નામ પર સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યુ. એટલે કે, સ્ટેડિયમમાં હવે વિરાટ કોહલીના નામનું એક સ્ટેન્ડ પણ જોવા મળશે.
DDCA દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ખેલ મંત્રી કિરણ રિજીજૂ, કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ, પૂર્વ ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સિવાય ઘણા રાજનેતાઓ હાજર રહ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પ્રશાસકોની સમિતિ (CoA) ના અધિકારીઓ પણ આ કાર્યક્રયમાં હાજર રહ્યા હતા. આ સિવાય દિવંગત અરૂણ જેટલીના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, DDCA એ 27 ઓગસ્ટના જાહેરાત કરી હતી કે હવે આ સ્ટેડિયમનું નામ ભારતીય જનતા પાર્ટીના દિવંગત નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવશે.
આ ખાસ પ્રંસગે DDCA ના અધ્યક્ષ રજત શર્માએ કહ્યુ કે, ''અરૂણ જેટલી 13 વર્ષ DDCA ના અધ્યક્ષ રહ્યા. અરૂણ જેટલી માટે ક્રિકેટ તેમનુ પેશન અને જીવન હતુ. દિલ્હીના તમામ ક્રિકેટર્સ અરૂણ જેટલીજીને આદરથી યાદ કરે છે, કેમકે જેટલીજીએ તમામ ખેલાડીઓને મદદ કરી હતી.''
ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલી DDCA ના અધ્યક્ષ પણ હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું 24 ઓગસ્ટના લાંબી બિમારી પછી દિલ્હીની AIIMS હોસ્પિટલ ખાતે નિધન થયુ હતુ. અરૂણ જેટલીએ DDCA ના અધ્યક્ષ રહેતા ફિરોઝ શાહ કોટલાનું પૂનર્નિર્માણ કર્યુ હતુ, જેમાં આધુનિક સુવિધાઓ, ઓડિયન્સને બેસવાની જગ્યાની ક્ષમતા, વર્લ્ડ ક્લાક ડ્રેસિંગ રૂમ વગેરે શામેલ છે.