મોટાભાગના લોકો ભાગ્યે જ જાણતા હશે કે જે વરિયાળીને તમે મુખવાસમાં વાપરો છો તેને જો તમે રોજ રાતે 1 ગ્લાસ દૂધ સાથે પીઓ છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. દૂધ પોતે પોષક તત્વોથી ભરપૂર છે અને તેમાં વરિયાળી ભેળવી દેવાથી તેની તાકાત વધી જાય છે. આ બંનેના એક સાથે સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે. આ સિવાય પાચન સારું થવું, આંખોનું તેજ વધવું વગેરે ફાયદા પણ મળે છે.
રોજ રાતે 1 ગ્લાસ દૂધમાં ભેળવો વરિયાળી
વરિયાળી અને દૂધનું મિશ્રણ અનેક સમસ્યામાં આપે છે રાહત
દૂધ અને વરિયાળી બંને વિટામીન સીનો સારો સોર્સ છે
જો વરિયાળી કે તેનો પાવડર દૂધમાં ભેળવીને પીવામાં આવે તો દૂધનો સ્વાદ વધી જાય છે. તે સ્વાસ્થ્યને અનેક ફાયદા આપે છે. આ દૂધ રાતે સૂતા પહેલાં પીવું જરૂરી છે. વરિયાળીમાં વિટામીન સી વધારે હોય છે અને જરૂરી ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશનિયમ પણ સ્વાસ્થ્યને ફાયદો કરે છે.
વરિયાળી વાળું દૂધ પીવાથી થાય છે આ 6 મોટા ફાયદા
પાચન માટે સારું રહે છે
વરિયાળી વાળું દૂધ પેટને સારું રાખે છે. તેનાથી પાચનશક્તિ સારી રહે છે. ખાન પાનને કારણે થતી સમસ્યાઓમાં આ દૂધ રાહત આપે છે. કબજિયાત અને એસિડિટીની સમસ્યાથી ઝડપથી છૂટકારો આપે છે.
યાદશક્તિ વધારવામાં છે લાભદાયી
વરિયાળી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિક રીતે આ માટે કોઈ ખાસ નિયમ નથી પણ તે તમારા મગજ માટે લાભદાયી છે. વરિયાળીને દૂધમાં મિક્સ કરીને પીવાથી માઈન્ડ ફ્રેશ રહે છે અને યાદશક્તિ પણ વધે છે.
આંખનું તેજ વધારવામાં કરશે મદદ
વરિયાળીનું દૂધ આંખનું તેજ ઝડપથી વધારે છે. તેનું રોજ સેવન કરવાથી આંખની સાથે જોડાયેલી સમસ્યામાં રાહત મળે છે. દિવસભર સ્ક્રીન સામે જોવાથી આંખોમાં બળતરાની સમસ્યા રહે છે. આ ડ્રિંક તમારી આંખો માટે ફાયદો કરી શકે છે.
કોલેસ્ટ્રોલને કરશે કંટ્રોલ
આ દૂધથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. વરિયાળી વાળું દૂધ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લાભદાયી છે. તેનું રોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ મેનેજ કરી શકાય છે. આ સમસ્યામાં ડાયટ પર પણ ધ્યાન આપવાની જરૂર રહે છે.
અસ્થમાના દર્દીઓને કરે છે ફાયદો
વરિયાળી વાળું દૂધ અસ્થમાના રોગીઓને માટે લાભદાયી રહે છે. જો અસ્થમા રોગી આ ડ્રિંકને રોજ લે છે તો તેનાથી રાહત મેળવી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ તે રામબાણ સાબિત થાય છે. તે રેસ્પિરેટરી સિસ્ટમને સુધારવામાં પણ મદદ કરે છે.
માસિક સમયે મળશે મોટી રાહત
આ ડ્રિંક પીરિયડ્સના દર્દમાં રાહત આપવાનું કામ કરે છે. આ સમયે વરિયાળી વાળું દૂધ લેવાથી અનેક સમસ્યાઓમાંથી રાહત મળશે, જો ગોળની સાથે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે તો અનિયમિત માસિક ચક્રમાં રાહત મળે છે.