ફેંગશુઇ અને ધાર્મિક માન્યતા અનુસાર, ઘર અથવા કાર્યસ્થળ પર કાચબો રાખવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. કાચબો રાખવાથી પરિવારના સભ્યો પર તેનો હકારાત્મક પ્રભાવ પડે છે. ફેંગશુઇ વિજ્ઞાન અનુસાર, કાચબો રાખવાથી ઘરના લોકોનું આયુષ્ચ લાંબુ બને છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. અહીં કોચબો રાખવાથી થતા લાભ જાણીએ.
1) વિષ્ણુનો અવતાર
પૌરાણિક ગ્રંથોમાં કાચબાનો ઉલ્લેખ મળે છે. હિન્દુ ધર્મ અનુસાર, કાચબો શુભ અને સમૃદ્ધિ દાયક એટલા માટે માનવામાં આવે છે કેમકે ભગવાન વિષ્ણુએ સ્વંય કાચબાનો અવતાર ધારણ કર્યો હતો. તેથી એમને કૂર્મ અવતારથી પણ ઓળખવામાં આવે છે. તેથી આપના વ્યાપાર અથવા ઘરમાં સુખ શાંતી બનાવી રાખવા માટે કાચબો મગંળકારી છે.
2) આ રીતે રાખો કાચબો
કાચબાની ફોટો અથવા અષ્ટધાતુથી બનેલા કાચબાને પણ ઘરમાં મંદિરમાં રાખી શકાય છે. કાચબાને પાણી ભરેલા પીત્તળ અથવા અષ્ટધાતુના વાસણમાં જ રાખવો જોઇએ.
3) મુખ્યદ્રાર પર લગાવવાથી થાય છે લાભ
વાસ્તુ અનુસાર ઉત્તર દિશા શુભ મનાય છે. તેથી કાચબાના ચિત્રને ઉત્તર દિશામાં લગાવવો જોઇએ. કેમકે ઉત્તર દિશાને લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે.
4) બેડરૂમમાં ન રાખવો
ફેંગશુઇ અને વાસ્તુ અનુસાર, કાચબાને ક્યારેય બેડરૂમમાં ન રાખવો જોઇએ. કેમકે એમ કરવાથી નુકશાન થઇ શકે છે. તેનો પ્રભાવ ઉલ્ટો પડી શકે છે.
5) આયૂષ્યમાં કરે છે વધારો
કાચબાને રાખવાથી ઘરના લોકોના આયૂષ્યમાં વધારો થાય છે. ઘરના લોકોની ઉંમર લાંબી થાય છે. કેમકે કાચબો પણ લાંબા સમય સુધી જીવે છે. તથા સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે.
6) ઘરમાં બની રહે છે શાંતિ
જો પરિવારના સભ્યો વચ્ચે કલેશ-કંકાશ થતો રહેતો હોય તો ઘરમાં 2 કાચબાની જોડી રાખવી જોઇએ. એમ કરવાથી ઘરના લોકો વચ્ચેની અનબન દૂર થઇ જશે. કાચબો ઘરમાં શાંતિ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
7) નજર દોષ અને બીમારીઓ દૂર થાય છે
કાચબાને ઘરમાં રાખવાથી ખરાબ નજર લાગતી નથી. કાચબો નજર દોષ દૂર કરે છે. જો કોઇ વ્યક્તિનું સ્વાસ્થ્ય લાંબા સમયથી સારુ નથી રહેતું તો કાચબાને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઇએ. તેનાથી લાભ મળશે.
8) હકારાત્મક ઉર્જામાં વધારો
આજકાલ, કરીયર, નોકરી અને વ્યવસાયમાં પ્રગતી મેળવવામાં કાચબો આપની મદદ કરી શકે છે. જે વિદ્યાર્થી પરીક્ષા અને કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા છે. એમણે પીત્તળમાંથી બનેલા કાચબા પાસે રાખવા જોઇએ. કાચબામાંથી મળતી હકારાત્મક ઉર્જા મદદ કરે છે.
9) સંતાન પ્રાપ્તિ
એવા કાચબા જેમની પીઠ પર કાચબાના બાળકો હોય, તેને સંતાન પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે. જે ઘરમાં સંતાન ન હોય અથવા સંતાન સુખથી વંચિત હોય, એમણે આ પ્રકારના કાચબાને પોતાના ઘરમાં રાખવા જોઇએ.