ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાને ખુબજ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને ઘર પર રાખવાથી સુખ અને સમૃદ્ધી આવે છે અને સકારાત્મકતા આવે છે. ફેંગશુઈમાં અલગ-અલગ મનોકામનાઓ માટે ઘર પર અલગ-અલગ લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવામા આવે છે.
-પૈસાથી જોડાયેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે ઘર અને કાર્યસ્થળ પર ઘનની પોટલી વાળા બુદ્ધાને રાખવા જોઈએ.
- બિઝનેસમાં પ્રગતી માટે દુકાન પર બંન્ને હાથ ઉપર કરેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ.
- સુતેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘરમાં રાખવાથી તમને દુર્ભાગ્યથી છુટકારો મળે છે.
-સંતાનો સાથે જોડાયેલી પરેશાનિઓને દૂર કરવા માટે ઘર પર બાળકો સાથે બેઠેલા લાફિંગ બુદ્ધાને રાખવાથી શુભ થાય છે.
-માનસિક શાંતિ માટે અને ઘરના વાતાવરણને શુદ્ધ કરવા માટેલ ધ્યાન મુદ્રામાં બેઠેલા લાફિંગ બુદ્ધાને રાખવા જોઈએ.
-નાવ પર બેઠેલા લાફિંગ બુદ્ધાને ઘર પર રાખવાથી તમામ પ્રકારની મુ્શ્કેલીઓ દૂર કરી શકાય છે.