પૂર્વ અભિનેત્રી સના ખાને સિદ્ધાર્થના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
40 વર્ષની ઉંમરમાં ટીવી અને બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. આમ તો સિદ્ધાર્થ શુક્લા બાલિકા વધુથી ઘરે ઘરે ફેમસ થયા હતા. પરંતુ બિગ બોસ 13ના વિન બન્યા બાદ તેમની ફેન ફોલોવિંગ ખૂબ વધી ગઈ હતી. જણાવી દઈએ કે તેમની ફેમિલીમાં માતા અને બે મોટી બહેનો છે. જ્યારે તે મોડલિંગ કરતા હતા તે સમય તેમના પિતા અશોક શુક્લાનું ફેફસા ખરાબ થવાના કારણે મોત થઈ ગયું હતું. સિદ્ધાર્થ કપૂરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ફેન્સ અને રિલેટિવ કપૂર હોસ્પિટલની બહાર અને તેના ઘરની બહાર પહોંચ્યા હતા. ત્યાં જ કપૂર હોસ્પિટલની બહાર સિદ્ધાર્થની એક ફેન ધ્રૂસકેને ધ્રૂસકે રડતી જોવા મળી હતી. તેનું કહેવું છે કે સિદ્ધાર્થ ક્યારેય મરી ન શકે તે હંમેશા જીવીત રહેશે.
પૂર્વ અભિનેત્રીએ સિદ્ધાર્થના નિધન પર શોક વ્યક્ત કર્યો
કૂપર હોસ્પિટલે હાર્ટ એટેકથી સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરી છે. સિદ્ધાર્થના મોતના સમાચાર સાંભળી સોશિયલ મીડિયામાં લોકો શોક વ્યક્ત કરી રહ્યાં છે. પૂર્વ અભિનેત્રી અને સિદ્ધાર્થ શુક્લાની અભિનેત્રી રહી ચૂકેલી સના ખાને સિદ્ધાર્થના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
સના ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું, હું તેમને અંગત રીતે ઓળખતી હતી. આ ખૂબ દુ:ખદ છે. ભગવાન આ દુ:ખદ સમયમાં તેમના પરિવારને શક્તિ અર્પે. આ સમાચાર મને ગળે ઉતરતા નથી. સિદ્ધાર્થ શુક્લા ખૂબ જ સારા વ્યક્તિ હતા.
રાહુલે કહ્યું, સિદ્ધાર્થ ખૂબ જ તંદુરસ્ત વ્યક્તિ હતા. તેમનું તંદુરસ્ત શરીરને જોઈને અમને થતુ હતુ કે આપણે તેમની ફિટનેસને ફોલો કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું, સિદ્ધાર્થ ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમણે પોતાની માતા માટે ઘર લીધુ હતું. આર્થિક અને પ્રોફેશનલ રીતે પણ તેઓ જાંબાઝ કામગીરી કરતા હતા. પરંતુ સિદ્ધાર્થ ખૂબ લાગણીશીલ હતા. તેઓ ક્યારેય પોતાના દિલની વાત કોઈની સાથે શેર કરતા નહોતા.
સિદ્ધાર્થ પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા
રાહુલે કહ્યું, સિદ્ધાર્થ પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ ખૂબ બિન્દાસ્ત અને સમજદાર વ્યક્તિ હતા. રાહુલ મહાજને કહ્યું, સિદ્ધાર્થ અભિનેતા શાહરૂખ ખાનના મોટા પ્રશંસક હતા.
અભિનેતા અને બિગબોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઈ ગયું છે. મુંબઈના કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું નિધન થવાની ખબર આવી રહી છે. હોસ્પિટલે નિધનની ખબર પર પુષ્ટિ કરી છે. જાણકારી અનુસાર 40 વર્ષિય સિદ્ધાર્થ શુક્લાનુ હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
સિદ્ધાર્થના નિધનની ખબર સાંભળી શહનાઝે શૂટિંગ છોડી
જાણકારી અનુસાર સિદ્ધાર્થ શુક્લાની સૌથી નજીરની મિત્ર શહનાઝ ગિલે એક્ટરના નિધનની ખબર સાંભળ્યા બાદ પોતાના શૂટિંગ છોડી છે. જણાવી દઈએ કે શહનાઝ સિદ્ધાર્થની સૌથી નજીક હતી. થોડા દિવસ પહેલા જ બન્ને એક સાથે ડાંસ દિવાને પર રોમાંસ કરતા જોવા મળ્યા હતા.
મોતની ખબરથી શહનાઝ શોકમાં
અભિનેત્રી સના ખાને વાતચીતમાં જણાવ્યું કે તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. સના ખાન અભિનેત્રી શહનાઝ ગીલની સારી મિત્ર છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શહનાઝ ગિલની હાલ શું સ્થિતિ છે તો તેણે જણાવ્યું કે તે હાલ કંઈ બોલવાના હોંશમાં નથી. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની મુલાકાત બિગબોસમાં થઈ હતી ત્યાર બાદથી બન્ને સાથે જ જોવા મળતા હતા.