ચીનમાં આતંક ફેલાવનાર કોરોના વાયરસના આંતકનો ભારતમાં પગ પેસારો થયો હોવાનાં લક્ષણો જણાઈ રહ્યાં છે. પહેલા રાજસ્થાન અને પછી બિહારમાં એમ બે કોરોના વાયરસનાં કેસ સામે આવ્યાં છે. રાજસ્થાનનાં જયપુરની હોસ્પિટલમાં એક યુવક તથા બિહારમાં એક યુવતી એમ 2 લોકોમાં કોરાના વાયરસના લક્ષણો જોવા મળ્યાં છે.
જયપુરમાં એક યુવક કોરોના વાયરસનો શિકાર હોવાની શંકા
બિહારમાં એક યુવતીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યાં
એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી તપાસ શરુ
યુવક ચીનમાં અભ્યાસ કરે છે
જયપુરમાં રવિવારે સવારે કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહીંની સરકારી હોસ્પિટલમાં એક યુવકને દાખલ કરવામાં આવ્યો છે. જે ચીનમાં અભ્યાસ કરીને આવ્યો છે. તેમાં આ વાયરસનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. તેનાં સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જોકે હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડીએસ મીણાએ કોરાના વાયરસની ખરાઈ કરી નથી.
Rajasthan Health Minister Raghu Sharma: We have issued an advisory regarding #coronavirus in the state. We request the Centre to ensure the screening of passengers at airports to identify patients. pic.twitter.com/RNqXCz8YmL
Superintendent, Patna Medical College&Hospital (PMCH): A girl from Chapra, who recently returned from China, was admitted to ICU at a hospital in Chapra after she showed symptoms similar to that of #Coronavirus. Now she is on the way to Patna, she'll be admitted at PMCH. #Bihar
બીજો કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. બિહારની રાજધાની પટનામાં ચીનથી પાછી ફરેલી યુવતીને પટનાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરી છે. જે બિહારના છપરાની રહેવાસી છે. થોડા સમય પહેલા તે ચીનથી પાછી ફરી હતી. યુવતીનાં પીએમસીએચ રેફર કરવામાં આવ્યાં છે. હાલ તેની સારવાર ચાલું છે.
ગઈકાલથી થર્મલ સ્કૈનરથી તપાસ કરવામાં આવી
આ દરમિયાન એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે 14 દિવસમાં બેંગ્લુરુથી વુહાન શહેરની મુસાફરીનો કોઈ ઈતિહાસ નથી. બેંગ્લુરુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કુલ 392 પ્રવાસીઓની ગઈકાલથી થર્મલ સ્કૈનરથી તપાસ કરવામાં આવી છે. આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે રહ્યું હતું કે ચીનમાં કોઈ ભારતીય કોરોનાં વાયરસથી અસરગ્રસ્ત નથી. બેજિંગ સ્થિત દુતાવાસથી તમામ ભારતીયોનાં અપડેટ લેવાઈ રહ્યાં છે.