ભારતમાં છ મહિનાથી CSIR, ICMR,DST અને DBT તરફથી રિસર્ચ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓને ફેલોશીપ નથી મળી રહી. નવી દવા અને ટેક્નિક પર શોધ કરવા માટે કામ કરી રહેલા રિસર્ચર અત્યારે મકાનના ભાડા અને બે ટંકના રોટલા માટે ફાંફા મારી રહ્યા છે.
રિસર્ચ પર ભારતની GDPનો કુલ 0.7 ટકા ખર્ચ કરવામાં આવે છે
રિસર્ચ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓને હજુ સુધી ફેલોશીપ નથી મળી
બધાને 31 હજારથી લઈને 55 હજાર સુધીની ફેલોશીપ આપવામાં આવે છે
આ સ્કોલર્સનું ક્યારે સાંભળશે સરકાર ?
ભારતમાં છ મહિનાથી CSIR (Council of Scientific & Industrial Research), ICMR (Indian Council of Medical Research), DST (Department of Science and Technology) और DBT (Department of Biotechnology)તરફથી રિસર્ચ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓને હજુ સુધી ફેલોશીપ નથી મળી. નવી દવા અને નવી ટેક્નિક પર શોધ કરી રહેલા રિસર્ચર મકાનના ભાડા માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રિસર્ચ પર ભારતની GDPનો કુલ 0.7 ટકા ખર્ચ કરવામાં આવે છે અને એવામાં પણ સરકારી કાગળીયા કરવા છતાં કેટલાય સ્કોલર્સને હાલમાં પૈસા નથી મળી રહ્યા.
મકાનનું ભાડું આપવાના પૈસા નથી
દેશની પ્રસિદ્ધ સંસ્થા AIIMSમાં કામ કરનાર લાલચંદ વિશ્વકર્માની ઊંઘ ઉડી ગઈ છે. મીડિયા અહેવાલ અનુસાર લાલચંદ્ર મહોબાનાં છે તેમણે નોકરી કરવાની જગ્યાએ રિસર્ચ કરવાનું વિચાર્યું. JRFની પરીક્ષા પાસ કરી અને રિસર્ચમાં લાગી ગયા, તેમણે કરેલ શોધને અખબારો અને રિસર્ચ પેપરમાં સ્થાન આપવામાં આવ્યું પરંતુ અત્યારે તેમની પાસે દિલ્હીમાં મકાનનું ભાડું આપવાના પૈસા નથી. છેલ્લા છ મહિનાથી તેમને 35000 હજાર રૂપિયાની ફેલોશીપ નથી અને તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે સરકારી કર્મચારીઓને સમય પર પૈસા મળી જય છે પરંતુ અમને ટાઈમથી ફેલોશીપ મળી રહી નથી ને તેના કારણે અમને રિસર્ચ કરવામાં સમસ્યા આવી રહી છે.
AIIMS જ નહીં international centre for genetic engineering and biotechnology જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટીટયુટમાં ટીબી પર રિસર્ચ કરનારા સંદીપ કૌશિકને પણ આર્થિક ભીંસનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનના કારણે તેમની લેબ બંધ કરી દેવામાં આવી છે અને એક તરફ રિસર્ચ પૂરો કરવાનું દબાણ અને ફેલોશીપ ન મળતા આર્થિક તંગીનાં કારણે તણાવ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે માર્ચ મહિના બાદથી જ મારી ફેલોશીપ આવી નથી અને હવે મારે રૂમના ભાડા, સામાનની ખરીદી માટે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને એવામાં રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત થઇ શકતું નથી.
સંદીપ અને લાલચંદ જેવા આશરે ત્રીસ હજાર જેટલા રિસર્ચ સ્કોલર અલગ અલગ સંસ્થાનોમાં શોધ કરી રહ્યા છે અને તે બધાને 31 હજારથી લઈને 55 હજાર સુધીની ફેલોશીપ આપવામાં આવે છે પરંતુ ફેલોશીપ ન મળવાના કારણે સોશ્યલ મીડિયાનાં માધ્યમથી પોતાની સમસ્યા સામે મૂકતા રહે છે.