વડોદરા: નવરચના સ્કૂલની દાદાગીરી સામે આવી છે. એક જ વાલીના ત્રણ બાળકો છેલ્લા પાંચ મહિનાથી નવરચના સ્કૂલની અંદર અભ્યાસથી વંચિત રહ્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ લેખિત જાણ કરવામાં આવી નથી. બાળકોને અભ્યાસ અર્થે સ્કૂલમાં બેસવા દેવામાં આવતા નથી તેમ જ ક્યા કારણથી બેસવા નથી દેવામાં આવતા તેની પણ વાલીને લેખિતમાં જાણ કરી નથી.
વાલીઓએ સરકારમાં રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેને લઈને વાલીઓ શાળા પર જઈને દેખાવો કરશે. શાળા સંચાલકોએ સ્કૂલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્કૂલ સંચાલકો ફી ભરવાને લઇ દાદાગીરી કરતા હોવાનું સામે આવી રહ્યુ હતું. ત્યારે હવે ફી ભરી હોવા છતાં વડોદરાની નવરચના સ્કૂલની દાદાગીરી સામે આવી છે.
શાળામાં 3 વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા દેવામાં આવતો નથી. જેને લઇને હવે વાલીઓ શાળા પર જઇને દેખાવ કરશે. શાળા સંચાલકોએ સ્કૂલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.