કોરોનાકાળમાં ફી વધારો ન થયો હોવાથી અત્યારે FRC એ સ્કૂલોને આપ્યો વધારો
અમદાવાદ ઝોનની 82 સ્કૂલને FRCએ આપ્યો ફી વધારો
મોટાભાગની સ્કૂલને 5 ટકા ફી વધારો આપ્યો
અમદાવાદ ગ્રામ્યની શાળાઓને પણ 5 ટકા ફી વધારો અપાયો
વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત મળે તે માટે સરકારે FRCનું ગઠન કર્યુ છે. જોકે સરકારની આ FRCના નિયમોને સ્કૂલ સંચાલકો નેવે મૂક્યા હોય તેવુ છાસવારે બનતું આવે છે અને બની પણ રહ્યું છે ત્યારે કોરોનાકાળ બાદ હાલ સ્કૂલો ફરી ધમધમી રહી છે. કેટલાય સમયથી ફી વધારવાની માંગ કરતાં સંચાલકોને હવે ફાવતું જડ્યું છે. સામે વાલીઓને લાગે છે કે હવે કપરા દિવસો આવશે કારણ કે અમદાવાદ ઝોનની 82 સ્કૂલને FRCએ ફી વધારો આપી દીધો છે. હવે મોટાભાગની સ્કૂલને 5 ટકા ફી વધારી છે જેની સીધી અસર વાલીઓના ખિસ્સાને પડશે. સાથે સાથે અમદાવાદ ગ્રામ્યની શાળાઓને પણ 5 ટકા ફી વધારો અપાયો છે.FRC ફીના માળખા અને ધારાધોરણો તો નક્કી કરે છે પરંતુ મધ્યમવર્ગની જનતાને શાળાઓની મોટી વસુલાત સામે પિસાવાનો વારો આવે છે.
કોરોનાકાળમાં ફી વધારો ન થયો હોવાથી અત્યારે FRC એ સ્કૂલોને આપ્યો વધારો
મહત્વનું છે કે કોરોનાકાળમાં 2 વર્ષ સ્કૂલો બંધ રહ્યા બાદ હવે સપૂર્ણ ઓફલાઇન શાળા શરૂ કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તો બીજી તરફ 2 વર્ષથી નવરાધૂપ બેસી રહેલા શાળા સંચાલકો સ્કૂલ ફીમાં વધારો કરવા FRCને ભલામણ પર ભલામણ કરી રહ્યા છે. આખરે સરકાર, FRC કમિટી અને સંચાલકોની બેઠકો થાય છે જેમાં વાલીનું પ્રતિનિધિ મંડળ પણ હાજર હોય છે પણ છેલ્લે તો એક જ નિર્ણય આવે છે. ફી વધારો એ ભલેને પછી થોડો હોય એવી રીતે આજે .અમદાવાદ ઝોનની 82 સ્કૂલને FRCએ ફી વધારો આપ્યો છે અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓને પણ 5 ટકા ફી વધારો અપાયો છે. આ ફી વધારાની અસર હજારો વાલીઓ પર પડવાની છે જે પણ 2 વર્ષથી કોરોના કાળમાં ઘર સાચવીને બેઠા છે..!
FRCનું કામકાજ શું?
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ફી નિયંત્રણ મુદ્દે એફઆરસી ફી નિયમન અમલ માં મુકવામાં આવ્યો છે,,પરંતુ ખાનગી શાળા ના સંચાલકો દ્વારા નિયત કરવા માં આવેલા નિયમો ની અવગણના કરવામાં આવ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગે નિયત કરવા માં આવેલા એફઆરસી ફી ના ધારાધોરણ મુજબ ફી અંગે દરેક ખાનગી શાળાઓએ એફિડેવિટ કરવા નું હોય છે. પણ તેમાંય સંચાલકો છટકબારી શોધી લે અને નિયમ મુજબ એફિડેવિટ કરવામાં પણ બાંકોરા પાડે છે તેવા કેટલાય કિસ્સાઓ બની ચૂક્યા છે.