2020માં દુનિયાભરના લોકો પર એક પછી એક આપત્તિઓ આવી રહી છે જેમાં કોરોના સૌથી મોટી મહામારી છે. કોરોનાને કારણે દુનિયા કેટલાય વર્ષ પાછળ ચાલી ગઈ છે. આવા સમયગાળામાં સ્કૂલ-કોલેજ બંધ રહ્યા તો ઉદ્યોગ-ધંધાઓની પણ કેડ ભાંગી ગઈ છે. કેટલાય લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
કોરોનાને કારણે દુનિયા કેટલાય વર્ષ પાછી રહી ગઈ
2020ના અંત સુધીમાં આવી શકે છે મોટો ભૂકંપ
પરંતુ આપને હજી એક વાત જાણીને આશ્ચર્ય થશે કે, ભારત ઉપર વધુ એક આફત આવી શકે છે. આ વાતનો ખુલાસો એક સંશોધનમાં થયો હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ભારતના સમગ્ર હિમાલય ક્ષેત્રમાં ભૂકંપના મોટા આંચકા આવી શકે છે. હાલ આ વિસ્તારમાં આંતરિક હલચલ જોવા મળી રહી છે.
હિમાલયમાં આવી શકે છે ભૂકંપના મોટા આંચકા
ભારતના તાજ તરીકે ઓળખાતા હિમાલય ઉત્તરથી આવતા ઠંડા પવનોથી દેશને સુરક્ષિત રાખે છે, પણ દુશ્મનોને દેશમાં પ્રવેશ કરતા અટકાવે છે. હિમાલયની શિખરો દેશની સુરક્ષામાં લાંબા સમયથી ઉભા છે. જો કે, હિમાલય ક્ષેત્રમાં ભૂકંપની આ ચેતવણી સંશોધન અધ્યયનમાં આપવામાં આવી છે. સંશોધન દાવો કરે છે કે જો તે ફક્ત આપણા જીવનકાળ દરમિયાન આવે તો તેમાં કોઈ આશ્ચર્ય થશે નહીં.
ભયંકર ભૂકંપની આગાહી કરાઇ
સિસ્મોલોજિકલ રિસર્ચ લેટર્સના જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં, ભયંકર ભૂકંપની આગાહી કરાયેલા રેડિયોકાર્બન વિશ્લેષણ બાદ, સપાટીઓ અને જમીનની તપાસ કરવામાં આવી છે. ભૂસ્તરશાસ્ત્ર, હિસ્ટોરીકલ અને ભૌગોલિક ડેટાની સમીક્ષાના આધારે વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે.
આ ક્ષેત્ર ઘણા મોટા ભૂકંપનું કેન્દ્ર રહ્યું
આ સંશોધન સંશોધનકર્તા સ્ટીવન જી.વોસ્નોસ્કીએ જણાવ્યું હતું કે હિમાચલ ક્ષેત્ર પૂર્વમાં ભારત અને પશ્ચિમમાં પાકિસ્તાન સુધી વિસ્તરેલો છે, તેથી તેની અસર તે વિસ્તારમાં જોવા મળશે. ભૂતકાળમાં, આ ક્ષેત્ર ઘણા મોટા ભૂકંપનું કેન્દ્ર રહ્યું છે.
વિવિધ વિસ્તારમાં થઇ શકે અસર
સંશોધન કહે છે કે જો આવો વિનાશક ભૂકંપ આવે તો ભારતના ચંદીગઢ અને દેહરાદૂન અને નેપાળના કાઠમાંડુ જેવા મોટા શહેરોને સીધી અસર થશે.