હવામાન વિભાગે આગાહી કરી છે કે 'તૌકતે' વાવાઝોડું 19 મેથી 20 મે સુધી ગુજરાત પર ત્રાટકી શકે છે,35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાત પર વધુ એક મંડરાઈ ખરતો
ગુજરાત પર ત્રાટકી શકે છે તૌકતે વાવાઝોડું
તૌકેત વાવાઝોડું બની શકે છે તોફાની
કોરોના જેવી મહામારી વચ્ચે ગુજરાત પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે, વર્ષ 2021ના આ પહેલું વાવાઝોડું હશે જે ગુજરાત પર ત્રાટકી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે 'તૌકતે' વાવાઝોડું 19 મેથી 20 મે સુધી ગુજરાત પર ત્રાટકી શકે છે અને 35-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેને પગલે સૌરાષ્ટ-કચ્છમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે દક્ષિણપૂર્વ અરેબિયન સમૃદ્ધમાં લો પ્રેશર સર્જાયું છે જે 15મે સુધી પૂર્વ-મધ્ય અરેબિયન સમૃદ્ધમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તરપશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારમાં અસર થઈ શકે
19 મેના રોજ 'તૌકતે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લો પ્રેશર સર્જાયા બાદ જ 'તૌકતે' વાવાઝોડાંની દિશા નક્કી થયા બાદ ખબર પડશે તે તેની અસર કેટલી હશે. હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા અનુમાન પ્રમાણે વાવાઝોડું ઓમાનના દરિયા તરફ અને દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાને પણ અસર થઇ શકે છે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યના ગૃહમંત્રીએ સુરક્ષા સમીક્ષા બેઠક કરી
રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂર સમીક્ષા બેઠક કરી છે, તેમજ સૌરાષ્ટ્રમાં તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને મહેસુલ વિભાગને પણ તાકીદે પગલાં લેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે આ ઉપરાંત દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તૈનાત રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
તૌકેત વાવાઝોડું બની શકે છે તોફાની
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું તૌકતે તોફાની બની શકે છે જેના કારણે અમદાવાદ સુધી 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે જેને મ્યાંમાર દ્વારા તેને તૌકતે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડું કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ સ્પષ્ટતા કરાઈ નથી. લો પ્રેશર સર્જાયા બાદ જ જાણી શકાશે તે કરી દિશામાં આગળ વધી રહ્યું છે. તૌકતે વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટમાં ત્રાટકી શકે છે જેને જોતા તંત્ર દ્વારા દરિયાકાઠાંના તમામ વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.
વાતાવરણમાં આવી શકે છે પલટો
તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ વાતાવરણની અસર 16થી 19 મે સુધી ગુજરાત પર રહેશે. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. 18 અને 19 મે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે દ્વારકા, જામનગર, ભાવનગરમાં અસર જોવા મળશે. રાજકોટ, કચ્છ અને માંડવિ સહિતના વિસ્તારોમાં અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વર્તાશે. હવામાન વિભાગ મુજબ 16મેથી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે.