દક્ષિણનાં રાજ્યો કેરળ અને કર્ણાટકમાં કોરોના વાયરસે સૌથી વધારે ટેન્શન વધાર્યું છે ત્યાં કેરળમાં તો કોરોના વાયરસનાં કેસ ઓછા જ નથી થઈ રહ્યા.
ભારતમાં હજુ વધી રહ્યા છે કોરોના કેસ
કર્ણાટક અને કેરળમાં કોરોનાએ ટેન્શન વધાર્યું
બાળકો અને યુવાનોમાં કેસ વધતાં CMએ બોલાવી બેઠક
ભારતમાં કોરોના વાયરસે ફરી ચિંતા વધારી
ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ફરીથી ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણનાં રાજ્યો કેરળ અને કર્ણાટકમાં કોરોના વાયરસે સૌથી વધારે ટેન્શન વધાર્યું છે ત્યાં કેરળમાં તો કોરોના વાયરસનાં કેસ ઓછા જ નથી થઈ રહ્યા ત્યાં બીજી બાજુ કર્ણાટકમાં બાળકો અને યુવાનોમાં કોરોના વાયરસનાં નવા નવા કેસ સામે આવતા ચિંતા વધી છે. એવામાં આજે કર્ણાટકનાં મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી.
ત્રીજી લહેરને લઈને ચિંતા વધી
કર્ણાટકમાં બાળકોમાં કોરોના વાયરસનાં કેસ સામે આવતા ત્રીજી લહેરની ચિંતા વધી છે. એકલા બેંગલોરમાં જ એકથી અગિયાર ઓગસ્ટ સુધીમાં 543 બાળકોમાં કોરોના વાયરસનાં કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી બસવરાજે નિષ્ણાતો સાથે ઈમરજન્સી બેઠક કરી હતી.
From August 1-11, 543 children between 0 to 19 years of age group got infected due to #COVID19. No deaths were reported. Most children were either asymptomatic or had mild symptoms: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP)#Karnataka
બાળકોમાં વધી રહ્યા છે કેસ
બેંગ્લોરનાં બાળકોમાં કોરોના વાયરસનાં કેસને વૈજ્ઞાનિકો મોટો ખતરો માની રહ્યા છે. યુવાનો અને બાળકો પર કોરોના વાયરસનાં આક્રમણનાં કારણે ત્રીજી લહેરની આશંકા વધી જાય છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે ત્રીજી લહેરમાં બાળકો અને યુવાનોએ કોરોના વાયરસ સામે સુરક્ષિત રહેવાની જરૂર છે.
શાળાઓ બંધ કરી દેવા માંગ
કોરોના વાયરસનાં આટલા બધા કેસ સામે આવતા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રાજ્યમાં શાળાઓ બંધ કરવામાં આવે, ત્યાં બીજી તરફ સરકાર એક બાદ એક શાળાઓ ખોલી રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે શાળાઓ શરૂ કરવાના કારણે જ કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે.