કોરોનાની પરિસ્થિતિ અંગે મરાઠવાડા અને નાસિક વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ સાથેની ડિજિટલ મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેએ એવા લોકો જે કોરોનાથી સંક્રમિત છે પરંતુ લક્ષણો નથી અને તેઓ પૂરતી કાળજી વગર બહાર નીકળી રહ્યાં છે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ
ચિંતા વ્યક્ત કરતા ઉદ્ધવ ઠાકરે બોલ્યાં
આવું થશે તો મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ઉઠશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ આશંકા વ્યક્ત કરી છે કે વધુ લોકો કામ પર પાછા ફરતાં કોરોના વાયરસના સંક્રમણનો 'બીજા રાઉન્ડ' શરૂ થશે. તેમણે લોકોને વિનંતી કરી છે કે નિયમોનું કડક પાલન કરો. કોવિડ -19 ((COVID-19) ની પરિસ્થિતિ અંગે મરાઠાવાડા અને નાસિક વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ સાથેની ડિજિટલ મીટિંગ કરી હતી અને આ ચિંતા વ્યક્ત કરી હતી.
ઠાકરેએ કહ્યું કે મૃત્યુ દર ઘટાડવા તરફ ધ્યાન આપવું પડશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું કે લોકો માસ્ક પહેરવા જેવા સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ લાદવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
34,761 લોકોનાં મોત થયાં
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ અનુસાર, 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 13,00,757 કેસ નોંધાયા છે. જ્યારે 34,761 લોકોનાં મોત થયાં છે.
ઠાકરેએ કહ્યું, 'બ્રિટનમાં એવો દર્દીઓની ઘરોમાં સારવાર આપવામાં આવે છે જેમનામાં લક્ષણો દેખાતા નથી. પરંતુ તેમની તપાસ દરરોજ કરવામાં આવી રહી છે. જો જરૂર પડે તો તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આપણે આવા દર્દીઓને ઘરમાં અલગ રહેવાની અનુમતિ આપીએ છીએ પરંતુ તેઓ બહાર નીકળીને અન્ય લોકોને પણ સંક્રમિત કરી રહ્યાં છે.