મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને એક પત્ર લખીને કહ્યુ છે કે રાજ્યમાં આવનારા 15 દિવસોમાં એક્ટિવ કેસની સંખ્યા 2 ગણી થવાની આશંકા છે. ઠાકરેએ પીએમ મોદીને સંબોધિત કરી એક પત્રમાં બુધવારે કહ્યું મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી એક્ટિવ કેસની સંખ્યા 11.9 લાખ થવાની આશંકા છે. આ સમયે એક્ટિવ કેસની સંખ્યા 5.64 લાખ છે.
તેમણે કહ્યુ કે રાજ્યમાં ચિકિત્સીય ઓક્સિજનની જરુર છે. એપ્રિલના અંત સુધીમાં 2000 મેટ્રિક ટન પ્રતિદિન સુધીનું અનુમાન છે. જેની હાલની ખપત 1200 મેટ્રિક ટન પ્રતિદિન છે. પડોશી રાજ્યોમાં તરલ ચિકિત્સીય ઓક્સિજનના પરિવહનમાં કેટલીક અડચણનો હવાલો આપતા ઠાકરેએ દેશના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ઈસ્પાત સંયંત્રોથી ઓક્સિજન હવાઈ માર્ગથી લાવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ પરવાનગી માંગી છે.
ઓક્સિજન આપૂર્તિ માટે પડોશી રાજ્યોની મદદ માંગી હતી પરંતુ ...
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કહ્યુ હતુ કે કોરોનાના વધતા કેસની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ચિકિત્સીય ઓક્સિજન આપૂર્તિ માટે પડોશી રાજ્યોની મદદ માંગી હતી. પરંતુ તેમણે ત્યાં પણ વધારે માંગના કારણે આપૂર્તિમાં અસમર્થતા વ્યક્ત કરી હતી. મોદીને પત્ર લખી સીએમએ રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ સંબંધી કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ અને માંગ કરી કે અધિકારીઓને ભારતીય પેન્ટેન્ટ અધિનિયમ 1970ની કલમ 92 અનુસાર નિકાસ યુનિટનું ઉત્પાદન અને વેચાણ કરવાની પરવાનગી આપવા માટે અનિવાર્ય લાયસન્સ આપવામાં આવે
કોરોનાને પ્રાકૃતિક સંકટ માને જેનાથી સરકાર એસડીઆરએફનો ઉપયોગ કરી શકાય
તેમણે કેન્દ્રને વિનંતી કરી છે કે કોરોનાને પ્રાકૃતિક સંકટ માને જેનાથી સરકાર એસડીઆરએફનો ઉપયોગ અસરગ્રસ્ત લોકોને આર્થિક મદદ કરવા માટે કરી શકે. એક સરકારી અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ ગઠન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાના ભાગ તરીકે કરવામાં આવ્યો હતો. જેથી આ કામ માટે કેન્દ્રની મંજૂરી જરુરી છે. સીએમ ઉદ્ધવે બુધવારે આ પત્ર મંજૂરી માટે લખ્યો હતો. હાલમાં જો પુર, આકાશી વીજળી પડવાની ઘટનાઓ, ભારે વરસાદથી જાન માલનું નુકસાન થયુ હોત તો પ્રાકૃતિક સંકટની શ્રેણીમાં આવતું અને આર્થિક વળતર આપવામાં આવતુ.
ઠાકરેએ એ પણ માંગ કરી કે કેન્દ્ર બેંકોના ચાલુ નાણા વર્ષના પહેલા ક્વાર્ટરમાં નાના, મધ્યમ અને અન્ય વ્યાવસાયિક ઉદ્ધમોના હપ્તાને કોઈ વ્યાજ વગર સ્થગિત કરવામાં આવે.