ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશના અલીગઢમાંથી એક કિસ્સો સામે આવ્યો
મુસ્લિમ મહિલાએ ઘરમાં ગણપતિની સ્થાપના કરી
મૌલાનાએ ફતવો જાહેર કર્યો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. અહીં રુબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપના કરી હતી, જે બાદ મૌલાનાઓના નિશાન પર તે આવી ગઈ હતી. મુસ્લિમ મહિલાએ કહ્યુ કે, તે હિન્દુઓના દરેક પર્વને મનાવે છે અને આગળ પણ મનાવતી રહેશે. તો વળી ફતવો જાહેર કરનારા મુફ્તી અરશદ ફારુકીએ ક્યું છે કે, ઈસ્લામમાં ફક્ત અલ્લાહની ઈબાદત કરવાની હોય છે.
મુસ્લિમ પરિવારે ઘરમાં ગણેશજીની પ્રતિમા સ્થાપન કરી
આ મામલો અલીગઢના રોરાવર વિસ્તારનો છે. શાહજમાલમાં આવેલ એડીએ કોલોની નિવાસી ભારતીય જનતા પાર્ટીની મહિલા મોર્ચાના જયગંજ મંડળના ઉપાધ્યક્ષ રુબી આસિફ ખાને પોતાના પતિ આસિફ ખાન સાથે ભગવાન શ્રીગણેશની પ્રતિમા બજારમાંથી ખરીદીને લાવી અને પોતાના ઘરમાં સ્થાપના કરી હતી.
રૂબી આસિફ ખાને કહ્યું કે, મેં મારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી છે. અને તે 7 દિવસ સુધી રહેશે. હું કોઈ જાતિ ધર્મમાં ભેદભાવમાં માનતી નથી. હું તમામ ધર્મના તહેવાર મનાવું છું, આ મારા મનની આસ્થા છે. મને સારુ લાગે તે બધું જ કરીશ. પૂજા અર્ચનાને લઈને પહેલા પણ મારા વિરુદ્ધ કેટલાય ફતવા જાહેર કર્યા છે.
ફતવો જાહેર કરનારા મૌલાનાનો ઉધડો લીધો
રૂબી આસિફ ખાને હિન્દુ દેવી દેવતાની પૂજા અર્ચના કરવા પર વિવાદીત નિવેદન આપનારા સહારનપુરના મુફ્તી અરશદ ફારુકીનો ઉધડો લીધો હતો. રૂબીએ કહ્યું કે, આ લોકો દેશના ભાગલા પાડવા માગે છે. આવા મૌલવી ક્યારેય સાચ્ચા મુસલમાન હોઈ શકે નહીં. આ ઉગ્રવાદી અને જેહાદી છે. આ લોકો ખુદ ભેદભાવ કરવા માગે છે. હિન્દુસ્તાનમાં રહીને હિન્દુસ્તાનની વાત કરતા નથી. આ જેહાદી લોકો ફતવા જાહેર કરે છે, જો સાચ્ચા મુસલમાન હોત તો, આવી વાતો ન કરે.