કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા બાદ સોશિયલ મીડિયામાં અહેવાલ વાયરલ થઇ રહ્યાં છે કે આમિર ખાન ફાતિમા સના શેખ સાથે ત્રીજા લગ્ન કરી રહ્યાં છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આમિર ખાન પોતાની આવનારી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા રિલીઝ થયા બાદ પોતાના ત્રીજા લગ્નની જાહેરાત કરશે.
આમિર ખાને ફાતિમા શેખ સાથે ત્રીજા લગ્ન કર્યા?
સોશિયલ મીડિયામાં વાયરલ થયા અહેવાલ
જાણો શું છે વાયરલ ફોટોની હકીકત
ના હોય ! આમિર અને ફાતિમાએ નિકાહ કરી લીધા?
આ દરમ્યાન ફેસબુક પોસ્ટમાં આમિર અને ફાતિમાના લગ્નની તસ્વીરો પોસ્ટ કરવામાં આવી રહી છે અને દાવો કરાઈ રહ્યો છે કે આમિર અને ફાતિમાએ નિકાહ કરી લીધા છે. બીજી તરફ કિરણ રાવ અને આમિર ખાનના છૂટાછેડા બાદ ફાતિમા ખૂબ ટ્રોલ થઇ હતી. ફેસબુક પર વાયરલ થયેલી આ પોસ્ટમાં આમિર અને ફાતિમાની તસ્વીરની સાથે લખવામાં આવ્યું છે, ફાતિમા શેખ એ જ અભિનેત્રી છે, જેણે ફિલ્મ દંગલમાં આમિર ખાનની દીકરીનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં ફાતિમાએ ગીતા ફોગાટની ભૂમિકા અદા કરી હતી. હવે આમિર ખાનની ત્રીજી બેગમ બની ગઇ છે. જવા દો, આ તેમનો અંગત મામલો છે. પરંતુ શું આ એ આમિર ખાન છે, જે સત્યમેવ જયતેને પ્રમોટ કરે છે શું તે બહુપત્નીત્વ પર કશું કહેશે?
શું છે વાયરલ ફોટોની વાસ્તવિકતા
જોકે, આ દાવામાં તથ્ય કેટલુ છે, તે આમિર ખાનથી વિશેષ કોઈ જાણતુ નથી. વાયરલ તસ્વીરની સાથે છેડછાડ કરવામાં આવી છે. અસલી તસ્વીરમાં આમિર ખાન કિરણ રાવની સાથે ઉભા રહ્યાં છે. સ્વાભાવિક છે કે કોઈએ એડિટીંગ કરીને કિરણની જગ્યાએ ફાતિમાનો ચહેરો લગાવી દીધો છે. આ તસ્વીર આકાશ અંબાણીની સગાઈની છે. તે વખતે આમિર ખાનના કિરણ રાવ સાથે છૂટાછેડા થયા નહોતા અને બંને એકસાથે સગાઈમાં પહોંચ્યા હતા.
આમિર અને ફાતિમાએ સત્તાવાર રીતે આ અંગે કશું કહ્યું નથી. પરંતુ આમિરના નજીકના લોકોનું કહેવુ છે કે આ અહેવાલ પાયાવિહોણા છે. સમય આવશે ત્યારે આમિર પોતે આ અંગે સ્પષ્ટતા કરશે. આમિર અત્યારે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઇને ચર્ચામાં છવાયેલા છે. આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થશે.