વેવાઈના ઘરેથી લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.અકસ્માત સર્જાતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના મોભીનું મોત નિપજ્યું હતું.
હાલોલ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં પરિવારજનોએ ઘરનાં મોભી ગુમાવ્યા
લગ્ન પહેલા જ સમગ્ર વાતાવરણ શોકમગ્ન બન્યું
એક તરફ દિકરીના લગ્ન, વેવાઈને ત્યાંથી પરત આવી રહ્યા હતા અને લગ્નનો આનંદં થોડાક જ સમયમાં છવાઈ ગયો દુઃખમાં. ગોઝારો અકસ્માત સર્જાતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ર્ડાક્ટરો દ્વારા તેઓને મૃત જાહેર કર્યા હતા. ત્યારે દિકરાની જાન નીકળે તે પહેલા જ પિતા મોતને ભેટતા સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
અકસ્માત સર્જાતા ઘરના મોભીએ જીવ ગુમાવ્યો
દિકરાના પિતા વેવાઈને ત્યાંથી પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ હાલોલ પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે રીક્ષામાં વાધોડિયાના સિંહાપુરા ગામનાં લોકો હતા. જેઓ સાવલી તાલુકાના આદલવાડા ખાતેથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાનું મોત નિપજ્યું હતુ. ત્યારે આવતીકાલે દિકરાના લગ્ન હતા. ત્યારે ઘરે લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા. ગમખ્વાર અકસ્માત સર્જાતા તેમનું મોત નિપજ્યું હતું.
આવતીકાલે સોમવારે દિકરાના લગ્ન હતા
સર્જાયેલ અકસ્માતમાં રાજુભાઈ તેમની પત્નિ અને તેમની દિકરી તેમજ તેનો ભાઈ દીકરીના જ્યાં લગ્ન કર્યા છે ત્યાં વેવાઈને ત્યાં હાજરી આપવા ગયા હતા. ત્યારે પરત આવી રહ્યા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આવતીકાલે સોમવારે રાજુભાઈની દીકરીના લગ્ન હતા.
108 દ્વારા હાલોલ સામુહિક કેન્દ્ર ખાતે લઈ જવાયા
7 મી ફેબ્રુઆરીના રોજ રાજુભાઈના દિકરાની જાન લઈને જવાનું હતુ. ત્યારે દિકરાની જાન લઈને ખેડા કરમશીયા ગામે જવાનું હતું. તેમજ લગ્ન પ્રસંગ હોઈ ઘરના પણ શણગારમાં આવ્યું હતું. હાલોલ નજીક અકસ્માત સર્જાતા તમામને 108 મારફતે હાલોલ સામુહિક કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.