આંધ્ર પ્રદેશના તિરુપતિમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સરકારી તંત્ર કેટલુ બેજવાબદાર થઈ ગયું છે, તેના દરરોજે કિસ્સાઓ જોવા મળે છે.
તિરુપતિમાંથી વીડિયો સામે આવ્યો
મૃત દિકરાને 90 કિમી સુધી બાઈક પર લઈ જવો પડ્યો
સરકારી તંત્ર ખાડે ગયું
આંધ્ર પ્રદેશના તિરુપતિમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક પિતા પોતાના મૃત દિકરાના અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાનો હતો. પણ તેને ન તો સરકારી એમ્બ્યુલન્સ મળી કે ન તો તેની પાસે એટલા રૂપિયા હતા કે, તે પ્રાઈવેટ એમ્બ્યુલન્સને હાયર કરી શકે. મજબૂરીમાં આ પિતાએ પોતાના મૃત દિકરાને બાઈક પર 90 કિમી સુધી લઈ જવો પડ્યો હતો.
My heart aches for innocent little Jesava,who died at Tirupati’s RUIA hospital.His father pleaded with authorities to arrange an ambulance which never came.With mortuary vans lying in utter neglect,pvt ambulance providers asked a fortune to take the child home for final rites.1/2 pic.twitter.com/mcW94zrQUt
આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબૂ નાયડૂએ આ ઘટનાને લઈને એક ટ્વિટ કર્યું છે, આ ઘટનાથી તેઓ ખૂબજ દુ:ખી થયા છે. પણ તેનાથી પણ વધારે તેઓ એ વાતથી પરેશાન થયા છે કે, દિકરાના મૃતદેહને પિતા બાઈક પર 90 કિમી સુધી લઈ જવું પડ્યું. સરકારી તંત્રની લાપરવાહીનો આનાથી વધારે મોટો નમૂનો કોઈ હોઈ શકે નહીં. જેસાવાનું મોત તિરુપતિના RUIA હોસ્પિટલમાં થયું હતું. તેલગૂદેશમ પાર્ટીના પ્રમુખ નાયડૂનું કહેવુ છે કે, સીએમ જગનમોહન રેડ્ડીએ વિચારવું જોઈએ કે હેલ્થકેરની હાલત શું થઈ ગઈ છે ?