ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના ઘનઘટા વિસ્તારમાં સોમવારે એક વ્યકિતએ કથિત રૂપે ઘરેલૂ કંકાશને લઇને પોતાની ત્રણેય દિકરીઓને ઘાઘરા નદીમાં ફેંકી દીધી. ઉત્તર પ્રદેશ પોલીસે આમ જાણકારી આપી.
ગ્રામજનોએ નદીમાં કુદીને બાળકીઓને બચાવવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા
પોલીસ સુપ્રિટેન્ડેન્ટ બૃજેશ સિંહે અહીં જણાવ્યું કે સરફરાજ નામની વ્યક્તિ પોતાના મિત્ર નીરજની મદદથી મોટરસાઇકલ પર પોતાની ત્રણેય દિકરીઓને ઘાઘરા નદી કિનારે પહોંચાડ્યા હતા.
ત્યારબાદ તેણે પુત્રી સના (7), સબા (4), અને શમા (2) ને ઘાઘરા નદીના બિરહર ઘાટ પર લાવ્યા અને ત્રણેય પુત્રીઓને એક-એક કરીને નદીમાં ફેંકી દીધી. તેઓએ કહ્યું કે આ સમયે આસપાસ હાજર કેટલાક ગ્રામજનોએ નદીમાં કુદીને બાળકીઓને બચાવવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
પોલીસે શરૂ કરી શોધખોળ
સૂચના મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ડાઇવર્સની મદદથી છોકરીઓની શોધખોળ શરૂ કરી પરંતુ હજુ સુધી કોઇ મળી આવ્યું નથી. બૃજેશ સિંહે કહ્યું કે પોલીસે સરફરાજ અને તેના મિત્ર નીરજની ધરપકડ કરી લીધી છે. સરફરાજ લગભગ 20 દિવસ પહેલા મુંબઇથી પાછો ફર્યો હતો અને તેને નશો કરવાની ટેવ હતી. આ ઘટના પાછળ ઘરેલૂ કંકાશ બતાવાઇ રહ્યો છે. હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.