રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટના એક જ પરિવારના 3 સભ્યએ કર્યો આપઘાતનો પ્રયાસ
પિતાએ બે સંતાનને પીવડાવી દવા
વકીલે મકાન પડાવી લીધું હોવાનો આક્ષેપ
મળતી જાણકારી પ્રમાણે, શાસ્ત્રીનગર વિસ્તારના શિવનગરમાં વિધાતા બંગલોમાં રહેતા અને કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા કમલેશ રામકૃષ્ણ ભાઈ લાબડીયાએ રાત્રિના સમયે પુત્ર અને પુત્રીને ઝેરી દવા પીવડાવીને આપઘાતનો પ્રયાસ કરતા તમામને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બાળકોને કોરોનાની દવા હોવાનું કહીને પીવડાવી ઝેરી દવા
ઉલ્લેખનીય છે કે, આ શખ્સે પોતાના બાળકોને કોરોનાની દવા હોવાનું જણાવીને ઝેરી દવા પીવડાવી હતી. પતિએ પત્નીને પીવાનું કહ્યું હતું પરંતુ પત્નીએ દવા પીવાનું ટાળીને પોલીસને કરી જાણ કરી હતી.
આર.ડી. વોરા નામના વકીલ પર લાગ્યા આરોપ
આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક અસરથી દવાખાને પહોંચ્યો હતો. જેમાં ઝેરી દવા પીનાર કમલેશ લાબડીયાના પત્નીએ આર.ડી. વોરા નામના વકીલ પર લગાવ્યો આક્ષેપ લગાવ્યા હતા અને સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
જાણો શું કહ્યું આપઘાત કરનાના પત્નીએ ?
દવા પીનારના પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, 1.20 કરોડમાં વકીલ આર.ડી. વોરાને મકાન વેચ્યુ હતું. જો કે, વકીલે મકાનની ડીલ પ્રમાણે નાણા નહીં ચૂકવી માત્ર 20 લાખ રૂપિયા જ ચૂકવ્યા હતા અને બાકીના 1 કરોડ આપવાનો નનૈયો ભણ્યો હતો. આ સાથે જ પરિવાર સામે ખોટા કેસ કરાવતા પતિએ ભર્યું પગલું હતું. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી હતી.
શું લખ્યું છે સુસાઇડ નોટમાં ?
સૌને જય શ્રી કૃષ્ણ, મારા મરવાનું કારણ આર.ડી વોરા તથા દિલીપ કોરાટ જેણે મારું મકાન લઈ લીધું અને 65 લાખ રૂપિયાનો ખોટો મારી ઉપર આરોપ મુકેલ. મારી પાસે અત્યારે 5000 રૂપિયા પણ નથી કાર અને મકાનના ચાર જેટલા હપ્તા પર ચડી ગયા છે. મારા બે કરોડ અને 12 લાખ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે ત્યારથી મારી મૂંઝવણ વધી ગઈ છે.