માતા-પિતા પોતાના સંતાનો માટે કંઇપણ કરી છુટવા તૈયાર હોય છે. સંતાનોના સ્વાસ્થ્યને લઇને હંમેશા ચિંતિત રહેતા હોય છે. જેને લઇને હાલમાં જ મહારાષ્ટ્રમાં રહેતા એક પિતાએ પોતાના પુત્રના સારા સ્વાસ્થ્યને લઇને માનેલી માનતા જોઇ અરવલ્લીમાં લોકો આશ્ચર્યચકિત રહી ગયા છે. મહારાષ્ટ્રમાં રહેતા પરિવારના એક પુત્રને વીજ કરંટ લાગતા ઇજા પહોંચી હતી. ત્યારે તેના સ્વસ્થ્ય સ્વાસ્થ્યને લઇને વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રાની માનતા માની હતી.
પુત્રના સારા સ્વાસ્થ્ય માટે પિતાએ રાખી હતી માનતા
પિતાએ બે હજાર કિમીના દંડવત પ્રણામ કર્યા
મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી સુધી પિતાની દંડવત યાત્રા
મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા
એક પુત્ર માટે પિતા શું કરી શકે છે તેનું એક ઉદાહણ અરવલ્લીમાં જોવા મળ્યું. મહારાષ્ટ્રના વ્યક્તિએ પુત્રના સારા સ્વાસ્થ્ય માટે મનાતા માની હતી. ત્યારે પુત્રની તબિયત સારી થઇ જતા તેઓએ મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી દંડવત યાત્રા શરૂ કરી છે.
પુત્રને ઇજા પહોંચતા લીધી માનતા
પોતાના પુત્રને વીજ કરંટ લાગતા પુત્રને ઇજા પહોંચી હતી. ત્યારે જેતે સમયે બાળકના પિતાએ માનતા માની હતી કે તેમનો પુત્ર સ્વસ્થ્ય થઇ જશે તો તેઓ વૈષ્ણોદેવી સુધી દંડવત યાત્રા કરશે.
મહારાષ્ટ્રથી શરૂ કરેલી દંડવત યાત્રા અરવલ્લી પહોંચી
આમ મહારાષ્ટ્રથી 3 મહિના પહેલા શરૂ કરેલી આ દંડવત યાત્રા આજે અરવલ્લી પહોંચી હતી. ત્યારે અહિંયા વાત શ્રદ્ધા કે અંધશ્રદ્ધાની નથી. અહિંયા વાત છે એક પિતાના પુત્ર માટેના પ્રેમની. એક પિતા પોતાના પુત્રના સ્વાસ્થ્ય માટે શું કરી શકે છે તેનું આ એક ઉદાહરણ છે.