સુરતમાં ગત 31 તારીખે મક્કાઈપુલ પરથી એક બાળક નીચે નદીમાં નદીમાં પડી જતા તેનું મોત થયું હતું. જે મામલે પોલીસે તપાસ આરંભી તો સામે આવ્યું કે પિતાએજ તેના બાળકની હત્યા કરી હતી.
સુરતમાં પિતાએ કરી પુત્રની હત્યા
પુલ પરથી બાળકને નીચે નદીમાં ફેકી કરી હત્યા
ઘરકંકાસમાં પિતાએ આપ્યો પુત્રની હત્યાને અંજામ
સુરતમાં વધી રહેલા હત્યાના બનાવો હવે એક ચીંતાનો વિષય બન્યો છે. ગત 31 ઓક્ટોબરે સુરતમાં એક બાળક સેલ્ફી લેતી વખતે નદીમાં પડ્યો હોવાનું સામે આવ્યું હતું . જે મામલે પોલીસે તપાસ આરંભી તો સામે આવ્યું કે બાળકની હત્યા કરવામાં આવી છે.
બાળક માતા સાથે રહેતો હતો
સાંભળીને તમને નવાઈ લાગશે કે આ સમગ્ર મામલે પિતાએજ તેના બાળક જાકીરની હત્યા કરી હતી. છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ રહેતો હતો. છેલ્લા 5 વર્ષથી પત્ની પણ પતિથી અલગ રહેતી હતી. બાળક છેલ્લા અઢી મહિનાથી પત્ની સાથે મહારાષ્ટ્રમાંજ રહેતો હતો. જોકે તેનું સ્કૂલનું LC લેવાનું હતું જેથી બાળકની માતા તેને સુરત લઈને આવી હતી.
સેલ્ફી લેવાના બહાને બાળકને નદીમાં ફેક્યો
બાળકના પિતા ઈલ્યાસ શેખને ક્યાંકને ક્યાંક એવું લાગતું હતું કે બાળક પરત પોતાની પાસે નહી આવે. જેથી તે બાળકને ફરવાના બહાને મક્કાઈ પુલ પર લઈ ગયો હતો. જ્યા સેલ્ફી લેવાનું બહાનું કર્યું અને બાળકને પુલની પાળી પર તેણે બેસાડ્યો હતો. બાદમાં તક મળતાજ કતેણે બાળકને નદીમાં ફેકી દીધો હતો.
પોલીસ પૂછપરછમાં હત્યારા પિતાએ આપી કબૂલાત
પિતા એવું નાટક કરી રહ્યો હતો કે સેલ્ફી લેવાના ચક્કરમાં તેના પુત્રનું મોત થયું છે. પરંતું પોલીસને પહેલાથી આ મામલે પિતા પર શંકા હતી જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરી જે પૂછપરછમાં હત્યારો પિતા ભાંગી પડ્યો અને તેણે હત્યા અંગે કબૂલાત કરી લીધી.
દોઢ વર્ષ પહેલા પણ હત્યા કરવાનો કર્યો હતો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દોઢ વર્ષ પહેલા પણ પિતા દ્વારા બાળકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમા પિતા ઈલ્યાાસ શેખે તેના પુત્ર જાકીરને ત્રીજા માળેથી ફેકી દીધો હતો. જોકે તે સમયે તે નીચે સાડીના ઢગલા પર પડ્યો હતો. જેથી બચી ગયો. તે સમયે પણ આરોપીની સામે પોલીસ ફરિયાદ થઈ હતી.