ભાવનગરના પાલિતાણામાં વડાળ ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા પિતાએજ તેની સગીર દિકરીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉાતરી દીધી છે.
પાલીતાણા વડાળ ગામે સગીરાની હત્યા
પિતાએજ પુત્રીને ઉતારી મોતને ઘાટ
સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું સામે આવ્ચું
ભાવનગરના પાલીતાણમાં વડાળ ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી પામી છે. ચકચાર એટલે મચી ઉઠી છે કારણકે એક પિતાએજ અહીયા તેની સગીર દિકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જેના કારણે લોકોમાં પણ રોષનો માહોલ ફેલાયો છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપી પિતાને ઝડપી પાડ્યો છે.
10 ફેબ્રુઆરીએ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી
ગત 10 તારીખે પોલીસને સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદગ મળી આવી હતી. જોકે હાલ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે. સગીરાનો મૃતદેહ મળી આવ્યા બાદ મોટો ખુલાસો થયો કે તેના પિતાએજ તેની હત્યા કરી હતી. જેમા પિતાએ સગીરાને ગળેફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતારી હતી.
સગીરા ગર્ભવતી હોવાને કારણે કરી તેની હત્યા
સગીરાને પાંચ માસનો ગર્ભ હતો જેથી તેના પિતાએ તેની હત્યા કરી નાખી હતી. બાદમાં તેણેજ પોલીસ સ્ટેશનમાં જઈને તેની દિકરી ગાયબ થઈ હોવાની ફરિયાદ નોંધાવી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાને હવે દબોચી લીધો છે.
હત્યારો પિતા પોલીસના સકંજામાં
ઉલ્લેખનીય છે કે પિતાએ ગળેફાંસો આપીને પુત્રીની હત્યા કરી હતી. બાદમાં તેણે પોલીસને તેની પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે હાલ હત્યારા પિતાને ઝડપી પાડ્યો છે. જોકે આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ હત્યારા પિતાને ઝડપી પાડ્યો છે.