8 મહિનાની માસૂમને મોત વિશે પણ ખબર ન હોય તેને મારતા તેના સગા બાપનું રુંવાડુય નહીં ફરક્યુ હોય? શેં જીવ ચાલ્યો હશે? સલાબતપુરાના રેશમવાડમાં નિર્દયી પિતાએ 8 મહિનાની ફૂલ જેવી માસૂમ દીકરીને એટલા માટે મારી નાખી કારણ કે તેના રડવાથી તેની ઊંઘ બગડતી હતી. ઊંઘમાંથી ઉઠીને બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સગા બાપે ઉંઘ બગડતા બાળકીને મોતને ઘાટ ઉતારી
બાળકીના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી
8 મહિનાની માસૂમ કરી ગઈ અલવિદા
સુરતમાં આ કાળજા સમાન માસુમ બાળકીને સગા પિતાએ જ મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી. સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં પોલીસે હત્યારા પીતાની ધરપકડ કરી હતી. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર રેશમવાડ ખાતે રહેતા ઉવેશ શેખને સંતાનમાં આઠ માસની બાળકી હતી.
કોણ છે હેવાન બાપ
ઉવેશ હસન શેખ ઘરે જ ધોબીનું કામ કરે છે. પરિવારમાં પત્ની અમરીન અને 8 મહિનાની દીકરી આયન ઉર્ફ આયત છે. સોમવારે સવારે નવેક ઉવેશ સૂતેલો હતો. ત્યારે અચાનક આયન રડવા લાગી હતી. આયન રડવાનું બંધ કરે આથી અચાનક ઉવેશે આવેશમાં આવી દીકરીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે માસુમ બાળકીના મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.