સુરત: ઓલાપાડ સ્થિત માસમાં ગામે રહેતા પિતા દ્વારા બે બાળકોને ઝેર આપવાના મામલે પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પત્ની દિપીકાએ પતિ યોગેશ વિરૂદ્વ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના માસમા ગામે પહેતા યોગેશ પટેલને દવું થઇ ગયું હતું. જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતા હતી. જેથી બુધવાર સાંજે પતિ યોગેશે પોતાના બે બાળકોને ઝેર આપી મોતના મુખમાં ધકેલી દીધા હતા અને ઝેર આપી આરોપી પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે બાળકોના મોત થયા હતા. હાલ પિતા યોગેશ સારવાર હેઠળ છે. જહંગીરપુરમાં બે દિવસ પહેલા આ ઘટના બની હતી.