અમદાવાદ શહેરમાં રોજબરોજ બેદરાકારીના કારણે અવનવા અકસ્માતો અને દુર્ઘટનાઓ બને છે. ત્યારે આજે અમદાવાદમાં JCB ચાલકની બેદરકારીના કારણે નિર્દોષ પિતા-પુત્રી ભોગ બન્યા છે.
અમદાવાદમાં એક કરૂણ ઘટના બની છે. શહેરના ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહતની દિવાલ JCBની ટક્કરથી ધરાશાયી થઇ હતી. આ દિવાલ ધરાશયી થતા પિતા-પુત્રીનું કાટમાળ નીચે દટાઇ જતા મૃત્યુ થયું છે.
અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહતની દિવાલ JCBની ટક્કરથી ધરાશાયી થઈ હતી. ગરમીના કારણે દીવાલ પાસે ઉભેલા પિતા-પુત્રી પર દિવાલ પડી હતી. જેમાં બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને એલ.જી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલ પર તેમને મૃત જાહેર કરાયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતા ગોમતીપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ ફાયર વિભાગની ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.