પ્રાથમિક તાપસમાં પત્નીના વિયોગમાં બે સંતાનોના પિતાએ સંતાનોની હત્યા કાર્ય બાદ આપઘાત કર્યો સ્યૂસાઈડ નોટમાં થયો ખુલાસો
પિતાએ સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા
હત્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
પત્નીના વિયોગમાં સંતાનોને ઝેરી દવા આપી આપઘાત કર્યો
આણંદમાં બે સંતાનોની હત્યા બાદ પિતાએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, મૃતકના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેને પોલીસે કબ્જે કરી છે તપાસ હાથ ધરી હતી, પ્રાથમિક તાપસમાં પત્નીના વિયોગમાં બે સંતાનોના પિતાએ સંતાનોની હત્યા કાર્ય બાદ આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ખુલાસો થયો છે.
પિતાએ સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા
મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરતા ચિરંજીવીએ બે પુત્રીઓની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી દીધી પુત્રના જન્મ વખતે પત્ની લલિતાનું નિધન થતા બે સંતાનો સાથે આણંદમાં રહેતા હતા.ચિરંજીવીએ ગઈકાલ રાત્રે તેમણે પત્નીના વિયોગમાં બંને સંતાનોને ઝેરી દવા આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
પોતે પણ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
સવારે જયારે નિયમિત દૂધ આપવા આવતા દૂધ વાળાએ બારણું ખખડાવતા કોઈ પ્રત્યુત્તર ન મળ્યો તો તેમણે પડોસીઓને જાણ કરી હતી પડોસીઓએ આખરે દરવાજો તોડતા અંદરના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતાબન્ને સંતાનો મૃત હાલતમાં મળ્યા હતા જયારે મૃતક ચિરંજીવી પ્રજાપતિનો મૃતદેહ દોરડા સાથે લટકતો જોવા મળતા આખરે પડોસીઓએ આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
પત્નીના વિયોગમાં સંતાનોને ઝેરી દવા આપી આપઘાત કર્યો
પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે મોકલી ઘરમાં તાપસ હાથ ધરી હતી જેમાં એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં ચિરંજીવી પ્રજાપતિએ પત્નીના વિયોગમાં બન્ને સંતાનોને ઝેર આપી પોતે આત્મહત્યા કરવા કરી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે,ઘટનાને પગલે હાલ તો સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી છે પોલીસે આ સામુહિક આત્મહત્યા કેસમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે..