અમદાવાદમા પતિ-પત્ની અને મૃત બાળકનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો.મેઘાણીનગરમા મૃત બાળકનો જન્મ થતા પિતાએ બાળકની હત્યાનો આક્ષેપ કરીને નોંધાઈ ફરિયાદ.
અમદાવાદમા પતિ-પત્ની અને મૃત બાળકનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો.મેઘાણીનગરમા મૃત બાળકનો જન્મ થતા પિતાએ બાળકની હત્યાનો આક્ષેપ કરીને નોંધાઈ ફરિયાદ. પોલીસે પણ બાળકનું પોસ્ટ મોર્ટમ કરીને સમગ્ર કેસની કરી તપાસ. 15 મહિના લગ્ન જીવનનો કરૂણ અંજામ આવ્યો. બાળકનુ મોત કે હત્યા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી.
ઉલ્લેખનીય છે કે, રાકેશ વાઘેલા, જે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહયો છે. પોતાના મૃત બાળકને ન્યાય માટે.રાકેશનો આક્ષેપ છે કે તેની પત્ની મનિષા અને સાસુ-સસરાએ તેની પત્નીના ગર્ભમા જ બાળકની હત્યા કરી દીધી.
જેના કારણે મૃત બાળકનો જન્મ થયો . રાકેશ વાઘેલા અને મનિષા મહેરીયાના લગ્ન 15 માસ પહેલા સમાજના રિત-રિવાજથી થયા હતા.લગ્નના બે માસ બાદ પારિવારીક ઝઘડાના કારણે મનિષા મા-બાપને ઘરે જતી રહી ત્યારે તે ગર્ભવતી હતી.
રાકેશ આક્ષેપ કર્યો છે કે તેના સાસરીયાએ ગર્ભપાત કરાવવા માટે તેની પર દબાણ કર્યુ. પરંતુ તેનો ઈન્કાર કરતા હોવાથી તેમણે હાઈકોર્ટમા પણ ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરી હતી. જેથી મૃત બાળકની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાળકનુ ગર્ભમા જ મૃત્યુ થયુ હોવાથી પિતાએ હત્યાના આક્ષેપો કર્યા હતા. જેથી પોલીસે બાળકનુ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ છે. મહત્વનુ છે અગાઉ રાકેશ અને તેના પરિવારે બાળકનુ ગર્ભપાત કરાવી દેવાની શંકા વ્યકત કરતી અમરાઈવાડી અને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમા અરજી કરી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરી હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો છે. આ ગંભીર આક્ષેપોને લઈને મેઘાણીનગર પોલીસે બાળકનુ પોસ્ટ મોર્ટમ કરાવીને તપાસ શરૂ કરી.
પિતા અને દાદાએ પોતાનુ પૌત્રીને ગુમાવી દેતા ન્યાય મેળવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહયા છે. પરંતુ બાળકનું ગર્ભમા મોત પાછળ હજુ કારણ સ્પષ્ટ થયુ નથી. શું ખરેખર બાળકની હત્યા થઈ કે અકસ્માતે મોત થયુ તે તો પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ તો પતિ-પત્નીના ઘરેલુ હિંસાના વિવાદોમા એક બાળકનુ મોતે પોલીસને પણ મુઝંવણમા નાખી છે.