વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા રમેશભાઈ બડમલિયાએ આત્મહત્યા પહેલા તેમના ભત્રીજાને ફોન કર્યો હતો. જેમાં કહ્યું હતું કે આપણા છેલ્લા રામ રામ છે. અમે દવા પી લીધી છે.
રાજકોટમાં 2 આપઘાતની ઘટના
પિતા-પુત્રએ એક સાથે કર્યો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી કંટાળી ભર્યું પગલું
વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયા બાદ વ્યક્તિ ની હાલત શુ થાય તે જગ જાહેર છે, જસદણમાં વ્યાજના વિષ ચક્ર માં થોડા દિવસ પહેલા એક ફોટોગ્રાફર નો પરિવાર બરબાદ થયો અને હવે એક વાણંદ પરિવાર બરબાદ થયો છે, વ્યાજખોરનાના ત્રાસ થી બડમલિયા વાણંદ પરિવારના પિતા પુત્રે આત્મહત્યા કરી લીધી છે.
પિતા-પુત્રએ એક સાથે કર્યો આપઘાત
રાજકોટના જસદણમાં હેર સલૂનના વ્યવસાય સાથે જોડાયેલા પિતા-પુત્રએ આપઘાત કર્યો છે.. પિતા-પુત્રએ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ આપઘાત પણ વ્યાજખોરોના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. પિતા અને પુત્ર બાઈક લઈને ઘરેથી નીકળ્યા બાદ કોઠી ગામ નજીક એક નાળા નીચે બેસીને ઝેરી દવા પી લીધી હતી. જે બાદ ભત્રીજાને ફોન પણ કર્યો હતો.
પરિવારના માથે આભ ફાટ્યું
આ જાણીને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો જ્યારે શોધખોળ કરતા ઘટનાસ્થળે દોડી ગયા ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. 25 વર્ષના સતીષને પણ એક દીકરી હતી જેને નાની વયેપિતા ગુમાવ્યા છે. તો ઘરના મોભી પણ ગુમાવતા પરિવાર પર આફત તૂટી પડી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતા-પુત્રએ આ પગલું ભર્યું હતું. જેથી પોલીસે પરિવારજનોનું નિવેદન લઈને આ મુદ્દે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભત્રીજાને ફોન કરી કહ્યું આપણાં છેલ્લા રામ-રામ છે
ભત્રીજા નિરવના જણાવ્યા બપોરે સાડા ત્રણની આસપાસ મારા કાકાનો ફોન આવ્યો કે અમે ઝેરી દવા પી લીધી છે ને કહ્યું હતું કે આપણાં છેલ્લા રામ-રામ છે અને પછી તુરત જ હું અને મારા મોટાભાઈ બન્ને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બન્ને નાળા નીચે દવા પીધેલી હાલતમાં પડ્યા હતા. તેમને 108 ની મદદથી જસદણ અને રાજકોટ હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તે બંનેને ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક રમેશભાઈના ભત્રીજાના જણાવ્યા મુજબ મારા કાકા અને ભાઈ સતીષ એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ છે
VTV ગુજરાતીના સળગતા સવાલ
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે પગલા કેમ નથી લેવાતા?
વ્યાજ બાદ પણ વ્યાજખોરો લાલચ કેમ નથી છોડતા?
વ્યાજખોરોને કોણ છાવરે છે?
સમાજમાંથી વ્યાજખોરોનું દુષણ ક્યારે થશે દૂર?
વ્યાજખોરોની ત્રાસ આપવાની હિંમત કેમ વધી રહી છે?
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર વ્યાજખોરો પર કડક કાર્યવાહી કેમ નથી કરાતી?
મદદના નામે મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે તવાઈ ક્યારે?