વડોદરામાં ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ટ્રેન નીચે પડતું મુકીને બંન્નેએ આપઘાત કર્યો છે. જોકે તેમણે આપધાત કયા કારણોસર કર્યો છે તે હજુ રહસ્ય હજુ અકબંધ છે.
વડોદરામાં પિતા પુત્રનો આપઘાત
બંનેએ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કર્યો
આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ
વડોદરા શહેરમાં ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લીધો છે. જેના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સાંભળીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે કે પિતા પુત્રએ ટ્રેન નીચે પડતું મુકીને મોતને વ્હાંલું કરી લીધું હતું. જેના કારણે તેમના શરીરના પણ બે ટુંકડાઓ થઈ ગયા હતા. પિતાનું નામ દિલીપ ભાઈ અને પુત્રનું નામ રશેષ હોવાનું સામે આવ્યું છે.
આપઘાતનું કારણ અકબંઘ
શહેરના અલકા પુરી વિસ્તારમાં આ પિતા પુત્ર રહેતા હતા જોકે તેમણે આપઘાત શા કારણે કર્યો છે. તે હજું સામે નથી આવ્યું. ગઈકાલે સાંજના સમયે બંને પિતા પુત્રએ આત્મહત્યા કરી હતી. ટ્રેન નીચે પડતુ મુકતા રેલ્વે સ્ટેશન પર લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોચી હતી જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવને લઈને આસપાસમાં ચકચાર મચી ઉઠી
પિતા પુત્રએ સામૂહિક આત્મહત્યા કરી લેતા લોકો વિચારમાં મુકાઈ ગયા છે. કારણકે હજુ પણ આ મામલે કોઈ કોઈ માહિતી સામે નથી આવી . એવી માહિતી પણ સામે આવી છે કે પુત્ર માનસિક રીતે બિમાર હતો. સમગ્ર મામલે પિતા પુત્રએ આત્મહત્યા શા માટે કરી તે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે.
અમદાવાદના યુવકનો પણ આપઘાત
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ એક યુવકના આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. જેમા યુવકે આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે કે યુવકે આપઘાત શા માટે કર્યો હતો.