અમદાવાદમાં પિતા પુત્રના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમા પુત્રએ આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હતો. પરિણામે પિતાએ પણ તેના વિરહમાં મોતને વ્હાલું કરી લીધું
અમદાવાદમાં પિતા પુત્રનો આપઘાત
પુત્રએ આર્થિક સંકળામણમાં કર્યો આપઘાત
પિતાએ આઘાતમાં આવીને મોતને વ્હાલું કરી લીધું
રાજ્યમાં વધી રહેલા આપઘાતના બનાવો હવે એક ચિંતાનો વિષ બન્યો છે. ત્યારે વધુંમાં મેગાસીટી અમદાવાદમાં એક નહી પરંતું બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે જે બે વ્યક્તિઓએ આપઘાત કર્યો છે તે સંબંધમાં પિતા પુત્ર થાય છે.
પુત્રએ મકરબા તેની ઓફિસમાં આપઘાત કર્યો હતો
પુત્રએ પહેલા મકરબા ખાતે તેની ઓફીસમાં આપઘાત કરી લીધો હતો. જેના કારણે પિતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા. પરિણામે તેમણે પણ આઘાતમાં મોતને વ્હાલું કરી લીધું . જેના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાથેજ પોલીસ પણ આ મામલે માહિતી મળ્યા બાદ તપાસ કરી રહી છે.
આર્થિક સંકળામણમાં પુત્રએ કર્યો આપઘાત
પુત્ર અલ્પેશનું દેવું થઈ ગયું હતું. જેના કારણે તેણે આર્થિક સંકળામણમાં આવીને આપઘાત કરી લીધો હતો. પરંતુ પુત્રના આપઘાતને કારણે પિતા બળવંતરાય આગાતમાં સરી પડ્યા હતા. જેથી તેના વિરહમાં પિતાએ પણ આપઘાત કરી લીધો
સરખેજ અને બોપલ પોલીસે તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે પુત્ર અલ્પેશે સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમા તેણે કહ્યું હતુ કે હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું. આ સમગ્ર મામલે હાલ સરખેજ અને બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે