સુરતમાં AAP ગુજરાતના જનરલ સેક્રેટરી મનોજ સોરઠીયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે જેમાં ઈજાગ્રસ્ત સોરઠીયાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સુરતમાં AAPના પ્રદેશ મહામંત્રી પર જીવલેણ હુમલો
AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો
ગણેશ મંડપના આયોજનના નિરિક્ષણ માટે પહોચ્યા હતા સોરઠીયા
સુરતના સરથાણા સિમાડા વિસ્તારમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી છે. સોરઠિયા ગણેશ ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા પાર્ટી હેડક્વાર્ટર નજીક ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા, ત્યારે કેટલાક લોકો કાર લઈ આવ્યા હતા અને લાકડી અને પાઈપો લઈ હુમલો કર્યો હતો.
મનોજ સોરઠિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મહત્વનું છે કે સિમાડાનાકા ખાતે AAPના કાર્યકર્તાઓએ ગણેશ મંડપનું આયોજન કર્યું હતું. AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ગણેશ મંડપના આયોજનના નિરિક્ષણ માટે પહોચ્યા હતા. જે બાદ અચાનક જ ત્યાં નશાની હાલતમાં કેટલાક અસામાજિક તત્વો બોલાચાલી કરવા લાગ્યા હતા. અને લાકડી અને પાઈપો સાથે હુમલાખોરોએ મનોજ સોરઠિયાને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મનોજ સોરઠીયાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
इस तरह विपक्ष के लोगों पर हमला करना सही नहीं है। चुनाव में हार जीत होती रहती है लेकिन विपक्ष को हिंसा से कुचलना, ये गुजरात की संस्कृति के ख़िलाफ़ है और जनता इसे पसंद नहीं करती
मैं गुजरात के CM से अपील करता हूँ कि दोषियों को सख़्त सजा दिलायें और सबकी रक्षा करें। https://t.co/JvEbAb36lf
વિપક્ષને હિંસાથી કચડવો એ ગુજરાતની સંસ્કૃતિ વિરૂદ્ધ: CM કેજરીવાલ
મનોજ સોરઠિયા પરના હુમલા મામલે CM કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું છે કે વિપક્ષ પર આ રીતે હુમલો કરવો એ યોગ્ય નથી. વિપક્ષને હિંસાથી કચડવો એ ગુજરાતની સંસ્કૃતિ વિરૂદ્ધ છે. ગુજરાતના CMને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા કેજરીવાલે અપીલ પણ કરી છે.