જામનગરઃ નાંદુરી ગામની પ્રાથમિક શાળા વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. શિક્ષકોની ઘટને લઈ શાળામાં ગ્રામજનોએ સતત 5માં દિવસે તાળાબંધી કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. શાળામાં શિક્ષકો નહીં ફાળવતા ગ્રામજનોએ હવે ઉપવાસ આંદોલનનો માર્ગ પકડ્યો છે. શિક્ષકો નહીં ફાળવવામાં ગ્રામજનોએ ઉપવાસ આંદોલન કર્યું છે. શાળાના પટાંગણમાં જ ગ્રામજનો ઉપવાસ પર બેસી ગયા હતા.
મહત્વનું છે કે આ શાળામાં 193 વિદ્યાર્થીઓ સામે માત્ર ત્રણ જ શિક્ષક છે. જેમાં એક શાળાના આચાર્ય ખુદ છે. બે શિક્ષકો જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોનો આરોપ છે કે માત્ર બે શિક્ષકો જ બાળકોને અભ્યાસ કરાવતા હોવાથી તેમને અધુરા અભ્યાસનું જ્ઞાન મળે છે.
તેથી ગ્રાંમજનોએ શાળામાં નવા શિક્ષક ભરતી કરવા અંગે માગ ઉઠાવી છે. ત્યારે ગ્રામજનોને હવે આ દિશામાં ન્યાય અને વિદ્યાર્થીઓને નવા શિક્ષક મળે છે કે કેમ.