જો તમારા વાહન પર 15 ફેબ્રુઆરી પછી ફાસ્ટેગ નહીં હોય તો નિયમ અનુસાર તમારે બમણો ટોલ ભરવો પડશે.
નહીં વધે FASTagની ડેડલાઈન
15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ રહેશે અનુવાર્ય
ફાસ્ટેગ વિનાના વાહનોએ ભરવાનો રહેશે બમણો ટોલ
દેશના દરેક ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અનુવાર્ય થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર હવે ફાસ્ટેગની ડેડલાઈન વધારશે નહીં. એવામાં જે લોકોએ વાહનો પર ફાસ્ટેગ લગાવ્યા નથી તેઓ જલ્દી જ વાહનો પર ફાસ્ટેગ લગાવી લે નહીં તો તેમની મુશ્કેલી વધી શકે છે.
આ તારીખથી અનિવાર્ય છે FASTag
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ટોલ પ્લાઝા પર FASTag અનિવાર્ય ન હતું. હવે 15 ફેબ્રુઆરી બાદ દરેક ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અનિવાર્ય રહેશે. એવામાં કેટલાક લોકો વિચારી રહ્યા હોય કે આ ડેડલાઈન વધારાશે તો જાણી લો કે સરકાર હવે FASTag ની ડેડલાઈન વધારવાની નથી.
FASTag થી થાય છે આટલી આવક
મંત્રાલયના આધારે મળી રહેલી જાણકારી અનુસાર ફાસ્ટેગથી દર મહિને સરકરાને 2088.26 કરોડ રૂપિયાની આવક થાય છે. સરકાર ટોલ પ્લાઝા પર લેનદેન સ્પષ્ટ કરવા માટે 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ અનિવાર્ય કરી રહી છે. આ પહેલાં 1 જાન્યુઆરીની ડેડલાઈન હતી. સરકારે તેને વધારીને 15 ફેબ્રુઆરી કરી છે અને હવે આ તારીખને લંબાવાશે નહીં.
કેવી રીતે કામ કરે છે FASTag
ટોલ પ્લાઝા પર લાગેલા રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફિકેશનની મદદથી ફાસ્ટેગને સ્કેન કરાય છે. જે તમારા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ હોય છે. એવામાં ટોલની રકમ તમારા બેંક એકાઉન્ટથી કપાય છે અને ટોલ પ્લાઝાના ગેટ જાતે ખુલી જાય છે.
FASTag નહીં હોવાથી થશે આ મુશ્કેલી
જો તમારા વાહન પર 15 ફેબ્રુઆરીએ FASTag નહીં હોય તો તમારે બમણો ટોલ ભરવો પડશે. સાથે સરકારે કેશ લેવાનું બંધ કર્યું છે. જેના કારણે તમને ટોલ નાકા પર મુશ્કેલી થઈ શકે છે.